અયોધ્યા જિલ્લામાં દારૂ અને માંસ પર યોગી સરકાર બેન લગાવી શકે છે
ઉત્તરપ્રદેશ સરકાર આખા અયોધ્યા જિલ્લામાં દારૂ અને માંસ વેચાણ પર બેન લગાવી શકે છે. આ પ્રતિબંધ ભગવાન કૃષ્ણની જન્મભૂમિ મથુરા અને પ્રદેશના બીજા ધાર્મિક શહેરોમાં પર પણ લગાવવામાં આવી શકે છે
ઉત્તરપ્રદેશ સરકાર આખા અયોધ્યા જિલ્લામાં દારૂ અને માંસ વેચાણ પર બેન લગાવી શકે છે. આ પ્રતિબંધ ભગવાન કૃષ્ણની જન્મભૂમિ મથુરા અને પ્રદેશના બીજા ધાર્મિક શહેરોમાં પર પણ લગાવવામાં આવી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ પ્રતિબંધ સ્થાનીય સંતોની માંગ પર લગાવવામાં આવી રહ્યો છે. યુપી સરકારમાં પ્રવક્તા અને ઉર્જા મંત્રી શ્રીકાંત શર્માએ પણ તેના વિશે સંકેત આપતા જણાવ્યું કે સરકાર દારૂ અને માંસ વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવા માટે ગંભીરતાપૂર્વક વિચાર કરી રહી છે.
શ્રીકાંત શર્માએ હિન્દુસ્તાન ટાઈમ્સને જણાવ્યું કે સરકાર આખા અયોધ્યા જિલ્લામાં એક કાનૂની પ્રક્રિયા હેઠળ માંસ અને દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવા માટે વિચાર કરી રહી છે. હાલમાં માંસ અને દારૂ પર પ્રતિબંધ નવા જિલ્લાના અયોધ્યા શહેર સુધી જ સીમિત છે.
આ પણ વાંચો: કાશ્મીરમાં હિંદુ રાજાઓ હતા ત્યાં સુધી હિંદુ અને શીખ સુરક્ષિત હતાઃ સીએમ યોગી
શ્રીકાંત શર્મા ઘ્વારા જણાવવામાં આવ્યું કે રાજ્યના અલગ અલગ જગ્યાઓથી સાધુ સંતો ધાર્મિક જગ્યાઓ પર દારૂ અને માંસ વેચાણ પર પ્રતિબંધ લગાવવા માટે માંગ કરી રહ્યા હતા. તેમને જણાવ્યું કે મથુરાના સાધુ સંત ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ વિસ્તાર પર દારૂ અને માંસ પ્રતિબંધ લગાવવા માટે માંગ કરી રહ્યા હતા.
આ પણ વાંચો: બહેન-દીકરી, ધર્મ, સંસ્કૃતિને બચાવવી હોય તો ભાજપને મત આપોઃ સંત સમાજ
મથુરાના સપ્તકોશી પરિક્રમા રુટ પર આવતા વૃંદાવન, ગોવર્ધન અને બરસાનામાં પ્રતિબંધ લગાવવા માટે માંગ ઉઠી રહી છે. 6 નવેમ્બરથી ફેઝબાદનું નામ અયોધ્યા રાખ્યા પછી ત્યાં દારૂ અને માંસ પર પ્રતિબંધ લગાવવા માટે માંગ કરવામાં આવી રહી છે. મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્રં દાસે સરકાર પાસે માંગ કરી છે કે અયોધ્યા જિલ્લામાં દારૂ અને માંસ પર પ્રતિબંધ લગાવીને આખા જિલ્લાને પવિત્ર કરવું જોઈએ.