સપા-બસપાની કાખઘોડી પર ચાલી રહી છે યુપીએ : જેટલી

જેટલી સમાપન સમારંભ દરમિયાન એક જનસભાને સંબોધન કરતા કહ્યું કે વામપંથી, તૃણમૂલ કોંગ્રેસ અને ડીએમકે કેન્દ્રની યુપીએ સરકારથી અલગ થઇ ગયા છે. હવે માત્ર સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજપાર્ટીના દમ પર જ કેન્દ્ર સરકાર ચાલી રહી છે. બંનેમાંથી એક પક્ષે સમર્થન પાછું લઇ લીધું તો લોકસભાની ચૂંટણી સમય પહેલા યોજાશે.
યુપીએ સરકાર પર સીબીઆઇના દુરુપયોગનો ઇરોપ લગાવતા જેટલીએ કહ્યું કે સરકાર સપા અને બસપાને ડરાવીને સમર્થન લઇ રહી છે. પરંતુ આ વધારે દિવસ સુધી ચાલવાનું નથી. જેટલીએ સીબીઆઇના અધિકારીઓને ચેતવણી આપતા કહ્યું કે રાજનૈતિક સત્તા અમર નથી.
જેટલીએ કહ્યું કે સીબીઆઇએ પાક સાફ અને વરિષ્ઠ નેતા ગુલાબચંદ કટારિયાને કોટી રીતે ફંસાવ્યા છે. કટારિયાને આશ્વત કરતા કહ્યું કે તેમની પર ભાજપ ક્યારેય આંચ નહીં આવવા દે.












Click it and Unblock the Notifications
