ભારતમાં શહેરી ગરીબોની સંખ્યા ઘટીને 5.31 કરોડ : રાજ્યવાર આંકડા
નવી દિલ્હી, 8 ઓગસ્ટ : કેન્દ્ર સરકારની વાત માનવામાં આવે તો દેશભરના શહેરોમાં રહેનારા ગરીબોની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો છે. હવે ભારતમાં શહેરી ગરીબોની સંખ્યા 5.31 કરોડ રહી છે. આ માહિતી શહેરી ગરીબી ઉન્મૂલન મંત્રી ગિરિજા વ્યાસે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન જણાવી હતી.
લોકસભામાં ડૉ સંજય સિંહ, પુતુલ કપમારી, લક્ષ્મણ ટુડુ અને નિખિલ કુમાર ચૌધરીના પ્રશ્નના લેખિત ઉત્તરમાં શહેરી ગરીબી ઉન્મૂલન મંત્રી ગિરિજા વ્યાસે માહિતી આપતા જણાવ્યું કે "વર્ષ 2004-05માં દેશના શહેરી વિસ્તારોમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યા 8.14 કરોડ હતી. જે વર્ષ 2011-12માં ઘટીને 5.31 કરોડ રહી ગઇ છે."
કેન્દ્રીય શહેરી ગરીબ ઉન્મૂલન મંત્રી ગિરીજા વ્યાસે જણાવ્યું કે આયોજન પંચ તરફથી શરૂ કરવામાં આવેલી ગરીબી રેખાના અનુમાનની સંખ્યા અને કાર્યક્રમ કાર્યાન્વયન મંત્રાલયે નેશનલ સેમ્પલ સર્વેના કાર્યાલય દ્વારા પરિવાર ઉપભોક્તા ખર્ચ સંબંધિત સર્વેક્ષણના આધારે આ આંકડા તૈયાર કર્યા છે.
1
ઉત્તર પ્રદેશ - 1.18 કરોડ શહેરી ગરીબો
2
મહારાષ્ટ્ર - 47.40 લાખ શહેરી ગરીબો
3
મધ્યપ્રદેશ - 43.10 લાખ શહેરી ગરીબો
4
બિહાર - 37.80 લાખ શહેરી ગરીબો
5
કર્ણાટક - 37 લાખ શહેરી ગરીબો
6
ગુજરાત - 26.90 લાખ શહેરી ગરીબો
7
ઝારખંડ - 20.20 લાખ શહેરી ગરીબો
8
રાજસ્થાન - 18.70 લાખ શહેરી ગરીબો
9
આંધ્રપ્રદેશ - 17 લાખ શહેરી ગરીબો
10
દિલ્હી - 16.50 લાખ શહેરી ગરીબો
11
છત્તીસગઢ - 15.20 લાખ શહેરી ગરીબો
12
ઓરિસ્સામાં 12.40 લાખ શહેરી ગરીબો
13
હરિયાણા - 9.40 લાખ શહેરી ગરીબો
14
અસમ - 9.20 લાખ શહેરી ગરીબો
15
કેરળ - 8.50 લાખ શહેરી ગરીબો
16
અરૂણાચલ પ્રદેશ - 70,000 શહેરી ગરીબો
ભારતમાં શહેરી ગરીબો
લોકસભામાં ડૉ સંજય સિંહ, પુતુલ કપમારી, લક્ષ્મણ ટુડુ અને નિખિલ કુમાર ચૌધરીના પ્રશ્નના લેખિત ઉત્તરમાં શહેરી ગરીબી ઉન્મૂલન મંત્રી ગિરિજા વ્યાસે માહિતી આપતા જણાવ્યું કે "વર્ષ 2004-05માં દેશના શહેરી વિસ્તારોમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યા 8.14 કરોડ હતી. જે વર્ષ 2011-12માં ઘટીને 5.31 કરોડ રહી ગઇ છે."