ગોવા: નગર પરિષદે હટાવી શિવાજી મહારાજની મૂર્તિ, લડાઈની આશંકા
ગોવાની વાલપોઇ નગર પરિષદે હાથવાડા જંક્શનથી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા છેલ્લા ગુરુવારે વિવાદને કારણે હટાવી દીધી.
ગોવાની વાલપોઇ નગર પરિષદે હાથવાડા જંક્શનથી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા છેલ્લા ગુરુવારે વિવાદને કારણે હટાવી દીધી. વાલપોઇ માં મૂર્તિ હટાવતા પહેલા મોટી સંખ્યામાં પોલીસ સુરક્ષા રાખવામાં આવી હતી. ત્યાં જ વિસ્તારોમાં ધારા 144 પણ લગાવી દેવામાં આવી હતી. ચીફ ઓફિસર સિન્થિયા મેક્સવેટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા હટાવવાનો નિર્ણય નગર પરિષદની બેઠકમાં લેવામાં આવ્યો છે. તેમને જણાવ્યું કે મૂર્તિને નગર નિગમ પરિષદ ની પરવાનગી વિના સરકારી જમીન પર લગાવવામાં આવી હતી.

આ દરમિયાન તાલુકાના શિવ પ્રેમી મોરચા ઘ્વારા વાલપોઇ નગર પરિષદ ઘ્વારા લેવામાં આવેલા નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે. આ સંગઠન ઘ્વારા માંગ કરવામાં આવી છે કે મૂર્તિ ફરીથી તેની મૂળ જગ્યા પર લગાવી દેવામાં આવે. જો નગર પરિષદ એવું નહીં કરે તો તેઓ વિરોધ પ્રદર્શન શરૂ કરશે. સતારી શિવ પ્રેમી ઘ્વારા એક ગુપ્ત બેઠક પણ આયોજિત કરવામાં આવી હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો કે જો નગર પરિષદ શિવાજી મહારાજની પ્રતિમા તેની જગ્યા પર નહીં લગાવે તો બંધનું આયોજન કરવામાં આવશે.
એટલું જ નહીં પરંતુ શિવ પ્રેમી મોરચા ઘ્વારા વાલપોઇ નગર પરિષદના મુખ્ય અધિકારી વિરુદ્ધ ખોટી રીતે મૂર્તિ હટાવવા માટે રિપોર્ટ પણ નોંધાવવામાં આવી છે. મોરચા ના સદસ્ય ગોરીસ ગવાસ ઘ્વારા જણાવવામાં આવ્યું કે શિવાજી મહારાજની મૂર્તિ હટાવીને વાલપોઇ નગર પરિષદે હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચાડી છે. તેમને શિવાજી મહારાજની મૂર્તિ તેની જગ્યા પર લગાવવા માટે માંગ કરી છે નહીં તો હિંસા ફેલાઈ જશે.
એક અન્ય શિવ પ્રેમી વિશ્વરાજ સાવંત ઘ્વારા જણાવવામાં આવ્યું કે ત્રણ હજાર લોકોની હાજરીમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા લગાવવામાં આવી હતી. પરંતુ નગર પરિષદે ખાલી એક મિનિટમાં તેને હટાવી દીધી. આ કાર્યવાહી સારી નથી. અમે નગર પરિષદ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરીશુ.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
