માલ્યા બેંકોના 100% પૈસા પાછા આપવા તૈયાર, ‘કૃપા કરી પોતાના પૈસા લઈ લો'
બિઝનેસમેન વિજય માલ્યા કે જેના પર આરોપ છે કે તે ભારતની તમામ બેંકોના કરોડો રૂપિયા લઈને ફરાર થઈ ગયો છે અને તેને ભાગેડુ ઘોષિત કરી દેવામાં આવ્યો છે તેણે બેંકોના પૈસા પાછા આપવાની રજૂઆત કરી છે.
બિઝનેસમેન વિજય માલ્યા કે જેના પર આરોપ છે કે તે ભારતની તમામ બેંકોના કરોડો રૂપિયા લઈને ફરાર થઈ ગયો છે અને તેને ભાગેડુ ઘોષિત કરી દેવામાં આવ્યો છે તેણે બેંકોના પૈસા પાછા આપવાની રજૂઆત કરી છે. માલ્યાએ કહ્યુ છે કે તે બેંકોના 100% પૈસા પાછા આપવા માટે તૈયાર છે. માલ્યાએ કહ્યુ છે કે મારા ઉપર લાગેલા આરોપ નિરાધાર છે.

મીડિયા અને નેતાઓ પર કાઢી ભડાસ
માલ્યાએ ટ્વિટ કરીને કહ્યુ કે મીડિયા અને નેતા હંમેશા મારા વિશે વાત કરે છે કે હું બેંકોના પૈસા લઈને ભાગી ગયો અને ભાગેડુ છુ જ્યારે આ સંપૂર્ણપણે ખોટુ છે. મને મારી વાત કહેવાનો મોકો કેમ આપવામાં આવતો નથી. આટલુ જ નહિ મે કર્ણાટક હાઈકોર્ટમાં બેંકોના બાકી પૈસા ચૂકવવાનો પ્રસ્તાવ બે વર્ષ પહેલા 2016માં આપ્યો હતો. છેવટે તેના પર કોઈ પ્રસ્તાવ કેમ આગળ ન આવ્યો. તેમણે મીડિયા પર નિશાન સાધતા કહ્યુ કે મહત્વની વાત એ છે કે હું બેંકોના 100% પૈસા પાછા આપવા માટે તૈયાર છુ. હું બેંકો અને સરકારને વિન્રમતાથી નિવેદન કરુ છુ કે તે આ પૈસા પાછા લઈ લે પરંતુ જો મારા પ્રસ્તાવને ઠુકરાવવામાં આવી રહ્યો છે તો તેનું કારણ શું છે.

કેમ પૈસા ડૂબ્યા
કિંગફિશર એયરલાઈન્સ વિશે માલ્યાએ કહ્યુ કે એટીએફના ભાવમાં વધારાને કારણે એરલાઈન્સ નાણાકીય મુશ્કેલી સામે ઝઝૂમી રહી છે. કિંગફિશર એખ જબરદસ્ત એરલાઈન્સ હતી. પરંતુ કાચા તેલના ભાવ 140 ડૉલર પ્રતિ બેરલ હોવાના કારણે એરલાઈન્સનું નુકશાન વધતુ ગયુ અને બેંકોમાંથી લીધેલા પૈસા આમાં ખર્ચ થતા ગયા. પરંતુ મે બેંકોને તેમના 100% મૂળધન પાછુ આપવાનો પ્રસ્તાવ આપ્યો છે. કૃપા કરીને તેને લઈ લો.

ભાગેડુ ઘોષિત
ઉલ્લેખનીય છે કે ગયા મહિને યુકેની હાઈકોર્ટે ભારતની 13 બેંકોને આ વાતની અનુમતિ આપી હતી કે તે માલ્યા દ્વારા બેંકોમાં આપેલી અમુક જાણકારીને માલ્યા સામે વર્લ્ડવાઈડ ફ્રીઝિંગ ઓર્ડર તરીકે ઉપયોગ કરી શકે છે. તમને જણાવી દઈએ કે માલ્યાને ભારતમાં ભાગેડુ ઘોષિત કરવામાં આવી ચૂક્યો છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
