મણિપુરમાં ફરી હિંસા, બિષ્ણુપુરમાં અસામાજિક તત્વોએ 4 ઘર સળગાવ્યા
મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. કર્ફ્યુ હોવા છતા મણિપુરમાં, બુધવારે (24 મે) ના રોજ બિષ્ણુપુર જિલ્લામાં અલગ-અલગ ઘટનાઓમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય બે ઘાયલ થયા હતા. અહેવાલો અનુસાર, કેટલાક અસામાજિક તત્વોએ 4 ઘરોને આગ ચાંપી દીધી હતી. આ ઘટના 23 મેના રોજ થયેલી આગચંપીના જવાબમાં કરવામાં આવી હતી.

આ પહેલા મંગળવારે મોડી રાત્રે બિષ્ણુપુરના ફૌબકચાઓમાં એક સમુદાયના કેટલાક લોકોએ 3 ઘરોને આગ લગાવી દીધી હતી. જે બાદ અન્ય સમુદાયના લોકોએ તે હિંસાના જવાબમાં વધુ 4 ઘરોને આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે 2 ગંભીર રીતે ઘાયલ થયા હતા.
બીજી તરફ કોંગ્રેસે મણિપુરની સ્થિતિ પર ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ નેતા અજય કુમારે આરોપ લગાવ્યો કે 5 મેથી ઈમ્ફાલ હોસ્પિટલના શબઘરમાં 70 મૃતદેહો પડ્યા છે. ચુરાચંદપુરના શબઘરમાં 18 મૃતદેહો પડ્યા છે, તેમને લેવા માટે કોઈ નથી. મણિપુરમાં આ સ્થિતિ છે.
इंफाल हॉस्पिटल के मॉर्चरी में 5 मई से अभी तक 70 लाशें पड़ी हैं।
— Congress (@INCIndia) May 24, 2023
चुराचांदपुर के मॉर्चरी में 18 लाशें पड़ी हुई हैं, जिन्हें लेने वाला कोई नहीं है।
मणिपुर में ये हालात हैं।
: @drajoykumar जी pic.twitter.com/uGmUyyMO3x
હિંસક ઘટનાઓને ધ્યાનમાં રાખીને, જિલ્લા વહીવટીતંત્રે બિષ્ણુપુર, ઇમ્ફાલ પૂર્વ અને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં કર્ફ્યુમાં છૂટછાટ રદ કરી છે. અગાઉ સવારે 5 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી કર્ફ્યુમાં રાહત આપવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે મણિપુરમાં 3 મેથી હિંસા ફાટી નીકળી છે, જે હજુ પણ ચાલુ છે. જો કે અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો અને ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી, હિંસાના અહેવાલો સતત આવતા હતા.
રાજ્યમાં તંગદિલી પ્રવર્તી રહી હતી જ્યારે મેઇતેઇ સમુદાય લાંબા સમયથી અનુસૂચિત જનજાતિ (ST) દરજ્જા માટે આંદોલન કરી રહ્યો હતો. તેમની માંગના વિરોધમાં મણિપુરી વિદ્યાર્થી સંગઠન 'ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ મણિપુર' (ATSUM)એ પણ એક સરઘસ કાઢ્યું હતું, જે બાદ વિવાદ શરૂ થયો હતો.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
