મહારાષ્ટ્રની ઠાકરે સરકારને કેન્દ્રની ચેતવણી - વીકેન્ડ લૉકડાઉનથી નહિ કંટ્રોલ થાય કોરોના
નવી દિલ્લીઃ ભારતમાં કોરોનાની બીજી લહેરે બધા રેકૉર્ડ તોડી દીધા છે. ભારતમાં એક દિવસમાં કોવિડ-19ના અત્યાર સુધીના સર્વાધિક 1,03,558 નવા કેસ સામે આવ્યા બાદ સરકાર કોરોના વાયરસને કાબુ કરવા માટે લાગી ગઈ છે. ભારતમાં કોરોનાના સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર બાદ હવે પંજાબ અને છત્તીસગઢમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. દેશમાં વાયરસથી અત્યાર સુધી કુલ 1,65,101 લોકોના મોત થયા છે જેમાંથી એકલા મહારાષ્ટ્રમાં 55,878 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાની બેકાબુ સ્થિતિને જોતા રાજ્યની ઉદ્ધવ ઠાકરે સરકારે મહારાષ્ટ્રમાં વીકેન્ડ લૉકડાઉન લગાવવાની ઘોષણા રવિવારે કરી હતી. મહારાષ્ટ્રમાં વીકેન્ડ લૉકડાઉન લગાવતા પહેલા કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રની ઠાકરે સરકારને ચેતવી હતી કે વીકેન્ડ લૉકડાઉનથી કોરોનાના કેસ કંટ્રોલ થવાના નથી. કેન્દ્ર સરકારે કહ્યુ હતુ કે વીકેન્ડ લૉકડાઉનની અસર બહુ જ સીમિત થાય છે.
ધ ઈન્ડિયન એક્સપ્રેસે વરિષ્ઠ સરકારી અધિકારીઓના હવાલાથી લખ્યુ છે કે વીકેન્ડ લૉકડાઉન લગાવવાના નિર્ણય પર મહારાષ્ટ્રની સરકારે મૌન એટલા માટે રાખ્યુ હતુ કારણકે રાજ્યમાં રવિવારે(4 એપ્રિલ) વીકેન્ડ લૉકડાઉન લગાવાવાથી લગભગ બે સપ્તાહ પહેલા કેન્દ્રએ મહારાષ્ટ્રને સ્પષ્ટ કરી દીધુ હતુ કે વીકેન્ડ લૉકડાઉનથી કોરોનાની ચેનને કાબુ નહિ કરી શકાય કારણકે આનાથી સીમિત પ્રભાવ પડે છે.
વીકેન્ડ લૉકડાઉન લગાવવાની ઉચ્ચ સ્તરીય બેઠકનો હિસ્સો રહેલ એક મોટા સરકારી સૂત્રે જણાવ્યુ છે કે મુખ્ય સચિવ અને મહારાષ્ટ્રને કેબિનેટ સચિવની બેઠક દરમિયાન સૌથી વધુ સમય મળ્યો હતો પરંતુ આ બેઠક દરમિયાન રાજ્ય સરકારના કોઈ પણ અધિકારીએ વીકેન્ડ લૉકડાઉન લાગુ કરવા પર ચર્ચા ન કરી. 15 માર્ચ 2021માં જ્યારે મહારાષ્ટ્રમાં 16,620 કોરોનાના કેસ મળ્યા હતા જે દેશના દૈનિક (રોજ) નવા કેસના 63.21 ટકા હતા. એ વખતે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે મુખ્ય સચિવ સીતારામ કુંટને લખ્યુ હતુ કે રાજ્યએ કોરોના રોકથામની કાર્યવાહી કરવી જોઈએ નહિ કે લૉકડાઉન લગાવવુ જોઈએ.
આરોગ્યકર્મીઓના રસીકરણ માટે નવા રજિસ્ટ્રેશન પર લગાવાઈ રોક