પશ્ચિમ બંગાળમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી, 5 લોકોની મોત, કેટલાય ઘાયલ
એક ફટાકડા ફેકટરીમાં આગ લાગતા પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગના જિલ્લામાં હલચલ મચી ગઈ હતી પ્રાપ્ત માહિતી અનુસાર શુક્રવારે નૈહાટી વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હતી. આગની જાણ થતાં જ ફાયર એન્જિન અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ અકસ્માતમાં 5 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાઈ રહ્યું છે. રાહત બચાવ ટીમો ઘાયલોને હોસ્પિટલમાં લઈ ગઈ છે જ્યાં તેઓની સારવાર કરવામાં આવી રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર ફાયર ક્રૂ હજી પણ આગને કાબૂમાં કરી રહ્યા છે.
ફોટા પરથી જોઈ શકાય છે કે વિસ્ફોટ કેટલો ઝડપી હતો. લાંબા સમય સુધી ફેક્ટરીમાં બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો, વિસ્ફોટથી ફેક્ટરી સંપૂર્ણ રીતે નુકસાન થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વિસ્ફોટને કારણે પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે ઘણા ઘાયલ થયા હતા. ફાયર ટેન્ડર સ્થળ પર હાજર છે અને બચાવ કામગીરી ચાલુ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં નજીકની ઇમારતોને પણ નુકસાન થયું છે. તમને જણાવી દઈએ કે નૈહાટીમાં વિસ્ફોટનો આ પહેલો બનાવ નથી, ગયા વર્ષ પહેલા એક ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો હતો.
West Bengal: Five persons dead in an explosion at a firecracker factory in Naihati area of North 24 Parganas district. Fire tenders present at the spot. pic.twitter.com/DhdEtLhoSV
— ANI (@ANI) January 3, 2020
દિલ્હી વિધાનસભા ચૂંટણી: ભાજપે શરૂ કર્યું 'મેરી દિલ્હી મેરા સુઝાવ' અભિયાન