કોલકાતાના તારાતલામાં પુલ પડ્યો, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
કોલકાતાના તારાતલામાં મંગળવારે સાંજે પુલ પડી ગયો. આ પુલ નીચે ઘણી કાર અને બાઈકો દબાયા હોવાની આશંકા છે.
કોલકાતાના તારાતલામાં મંગળવારે સાંજે પુલ પડી ગયો. આ પુલ નીચે ઘણી કાર અને બાઈકો દબાયા હોવાની આશંકા છે. પુલ નીચે ઘણા લોકો દબાયા હોવાની વાતનો પણ પોલીસ ઇન્કાર નથી કરી રહી. જગ્યા પર પોલીસ પ્રશાશન પહોંચી ચૂક્યું છે. રાહત અને બચાવ કામગીરી શરુ થઇ ચુકી છે. આ પુલ તારા તલા અને મોમીનપુરને જોડે છે. આ પુલ ખુબ જ જૂનો છે, તેને 1970 દરમિયાન બનાવવામાં આવ્યો હતો.
પુલ પડવાથી હજુ જાનમાલને કેટલું નુકશાન થયું છે તેના વિશે કોઈ જ અંદાઝો નથી. આ પુલ તારાતલા અને મોમીનપુરને જોડે છે. આ ખુબ જ વ્યસ્ત વિસ્તાર છે. ઘણા દિવસથી આ પુલનું સમારકામ ચાલી રહ્યું હતું.
#WATCH: Rescue teams and ambulances arrive at the spot where part of Majerhat bridge in South Kolkata has collapsed. #WestBengal pic.twitter.com/5pgpxSgwke
— ANI (@ANI) September 4, 2018
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી ઘ્વારા આ દુર્ઘટના પર દુઃખ વ્યકત કરવામાં આવ્યું છે. તેમને જણાવ્યું કે પ્રબંધક બેઠક થઇ છે અને તેઓ જાતે રાહતના કામ પર નજર રાખી રહ્યા છે. મમતા બેનર્જી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને પોલીસ પાસે આ દુર્ઘટનાની રિપોર્ટ માંગી છે.
દુર્ઘટના સમયે આર્મી પાસે મદદ માંગવામાં આવી ના હતી. પરંતુ આર્મી એરિયા નજીક હોવાને કારણે સેનાના લોકો પણ મદદ કામમાં જોડાયેલા છે.
A bridge collapse in Majerhat, kolkata, several burried pic.twitter.com/NTmVGrnPpq
— sandeep kr sharma (@sandeepbarpa) September 4, 2018
પશ્ચિમ બંગાળ સરકારના મંત્રી ફરહાદ હાકીમ જગ્યા પર પહોંચ્યા. તેમને કહ્યું કે જે લોકો પુલની નીચે દબાયા હતા તે બધાને કાઢી લેવામાં આવ્યા છે.