લોકસભામાં રાહુલ ગાંધીએ કહ્યું "ચોકીદારી છોડી દો મોદીજી!"
કોગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે લોકસભામાં ચાલી રહેલી મોંધવારી ચર્ચા પર પોતાનો મત વ્યક્ત કર્યો હતો. અને સાથે જ મોદી સરકારને આડે હાથે લેવાનો એક પણ મોકો નહતો છોડ્યો. તેમણે કહ્યું કે એક સમય હતો જ્યારે મોદીજી કહેતા હતા કે "માં બેટા રોઇ રહ્યા છે, રાતે ખાલી પેટે સૂઇ રહ્યા છે" ત્યારે આજે આવું કહેનારા મોદીને મોંધવારી આટલી વધવા છતાં લોકોના આંસુ કેમ નથી દેખાતા?
રાહુલનો મોદી વાર: ટ્વિટર પર લોકોએ ઉડાવ્યો મજાક
એટલું જ નહીં રાહુલ ગાંધીએ યુપીએ સરકારના સમયે દાળ અને શાકભાજીના માર્કેટ રેટનું અંતર પણ જણાવ્યું. અને સાથે મોદીજીના જૂના ભાષણોને યાદ કરીને ચોટદાર ટિપ્પણીઓ પણ કરી. તેમણે કહ્યું કે ભલે મોદી સરકાર તેમના વેપારી મિત્રોને મદદ કરે પણ સાથે જ ખેડૂતોને પણ મદદ કરે તો સારું રહેશે. ત્યારે લોકસભામાં રાહુલ ગાંધીએ કયા કયા મુદ્દા મોંધવારી મામલે ઉઠાવ્યા તે વિષે વિગતવાર જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં....
ટામેટા, દાળોના ભાવ
તેમણે કહ્યું કે કોંગ્રેસના શાસનકાળમાં એમએસપી અને માર્કેટ પ્રાઇસમાં 30 રૂપિયા અંતર હતું. અને આજે આ અંતર 130 રૂપિયા થઇ ગયું છે. આજે ટમેટા, તુવેરદાળના ભાવ આકાશ આંબી રહ્યા છે. અને ઘર ચલાવતી મહિલાઓને ઘર કેવી રીતે ચલાવવું તે સમજાતું નથી!
મોદીજી, ચોકીદાર!
વધુમાં મોદી પર કટાક્ષ કરતા રાહુલે કહ્યું કે ચૂંટણી વખતે મોદીજી કહેતા હતા મારે વડાપ્રધાન નથી બનવું મારે ચોકીદાર બનવું છે. પણ હવે જ્યારે તે ચોકીદાર બની ગયા છે ત્યારે તેમની નાક નીચેથી દાળની ચોરી થઇ રહી છે. ત્યારે ચોકીદાર કેમ ચૂપ છે?
મેક ઇન ઇન્ડિયા
રાહુલે કહ્યું કે મેક ઇન ઇન્ડિયા હેઠળ એક પણ યુવકને રોજગાર નથી આપવામાં આવ્યો. ત્યાં તો તમે મોટી મોટી વાતો કરી શકો છો પણ મોંધવારી બાબતે તમે આવું નથી કરી શકતા કારણ કે અહીં બધાને ભાવ ખબર છે.
ઉદ્યોગપતિઓની લોન
વધુમાં રાહુલે કહ્યું કે તમે ભલે ઉદ્યોગપતિઓને લોન માફ કરો પણ ગરીબ વ્યક્તિ અને ખેડૂતો માટે પણ કંઇક કરો.
તારીખ આપો મોદીજી?
વધુમાં રાહુલે કહ્યું કે સ્ટાર્ટ અપ અને સ્ટેન્ડ અપ પર તમે ભલે કંઇ પણ કરો પણ એક તેવી તારીખ આપો મને જે કહે કે આ તારીખે દાળ અને શાકભાજીના ભાવ ઓછા થઇ જશે? છે તમારી પાસે આવી કોઇ તારીખ?
અડદ મોદીજી
ભાષણના અંતમાં રાહુલ ગાંધીએ કહ્યું કે આજ કાલ ગામડા અને શહેરોમાં એક નવો નારો ચાલી રહ્યો છે "હર હર મોદી, અરહર અરહર મોદી...ધન્યવાદ!"