મથુરામાં ખૂની ખેલ, હેમા માલિની વ્યસ્ત શૂટિંગમાં, ડીલીટ કર્યા ટ્વીટ
ઉત્તર પ્રદેશ ની લોકસભા ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 80 માંથી 71 સીટો સાથે શાનદાર જીત મેળવી હતી. પરંતુ જે રીતે મથુરામાં ગેરકાનૂની બાંધકામ હટાવવા જતા 2 પોલીસકર્મીઓ ના જીવ ચાલ્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા છે તેના પર વિધાયકે ચુપ્પી સાંધી લીધી છે. એટલું જ નહી પરંતુ મથુરાની ભાજપની સંસદ શૂટિંગમાં વ્યસ્ત છે.
જયારે સોશિયલ મીડિયા પર લોકોએ તેમના ટ્વીટ પર નિશાનો સાંધવાનું ચાલુ કર્યું ત્યારે તેમને તે ટ્વીટ ડીલીટ કરી નાખ્યા અને મથુરામાં જે પણ થયું તેના પણ દુખ વ્યકત કર્યું. હેમા માલિનીએ ટ્વીટ કરીને કહ્યું કે જો તેમની જરૂરત પડી તો તેઓ ફરીથી મથુરા જશે.
હેમા માલિનીએ આ મુદ્દા પર વાત કરતા કહ્યું કે તેમને આ મુદ્દાની ગંભીરતા વિશે ખબર હતી જ નહી. તેમને 2 મહિના પહેલા જ આ બાબતે જાણકારી મળી ત્યારબાદ તેમને આ ગેરકાનૂની કબજો હટાવવાનું કહ્યું.
હેમા માલિનીએ આ મુદ્દે મુખ્યમંત્રી અખિલેશ યાદવ પર પણ સવાલ ઉભા કર્યા છે. તેમને આ આખા મામલાની જાંચ સીબીઆઈ પાસે કરાવવાની વાત કહી છે. જયારે હેમા માલિનીને મથુરા આવવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમને કહ્યું કે હાલમાં તેમનો કાર્યક્રમ પહેલાથી જ છે જેને તેઓ રદ નહી કરી શકે.
હેમા માલિની
હેમા માલિની પર સવાલ ઉઠ્યા છે કે તેઓ આટલા મોટા હાદસા દરમિયાન શૂટિંગમાં વ્યસ્ત હતી.
હેમા માલિની
મથુરા વિવાદ પર ગૃહમંત્રી રાજનાથ સિંહે દુખ વ્યકત કર્યું છે અને અખિલેશ યાદવે તપાસના આદેશ આપ્યા છે.
હેમા માલિની
હેમા માલિનીએ ટ્વીટ કરીને કહ્યું કે જો તેમની જરૂરત પડી તો તેઓ ફરીથી મથુરા જશે.
હેમા માલિની
હેમા માલિનીએ આ મુદ્દે મુખ્યમંત્રી અખિલેશ યાદવ પર પણ સવાલ ઉભા કર્યા છે. તેમને આ આખા મામલાની જાંચ સીબીઆઈ પાસે કરાવવાની વાત કહી છે.