શરદ પવાર બાદ NCP ના અધ્યક્ષ કોણ? જાણો બેઠકમાં શું ચર્ચા થઈ?
શરદ પવારે એનસીપીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ હવે રાજનીતિ ગરમાઈ છે. એક તરફ પાર્ટીમાં હંગામાનો માહોલ છે ત્યારે બીજી તરફ આજે પાર્ટી નેતાઓની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શું ચર્ચા થઈ તે ચર્ચાનો વિષય છે.
મુંબઈના યશવંતરાવ ચૌહાણ સેન્ટરમાં NCP નેતાઓએ અનૌપચારિક ચર્ચા કરી હતી. જો કે અહીં ઉપસ્થિત શરદ પવાર બેઠકમાં હાજર નહોતા રહ્યા. ચર્ચા પહેલા છગન ભુજબળે કહ્યું કે તે માને છે કે સુપ્રિયા સુલે રાષ્ટ્રીય ભૂમિકા માટે આદર્શ છે. તેઓ મુદ્દાઓની સારી સમજ ધરાવે છે.

તેમણે આગળ કહ્યું કે, તે સાંસદ તરીકે સારું કામ કરી રહી છે. એટલા માટે નવા પ્રમુખ નક્કી કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. અજિત પવારે રાજ્યનો હવાલો સંભાળવો જોઈએ. તેમણે કહ્યું કે કામનું વિભાજન પહેલેથી જ છે.
છગન ભુજબલે કહ્યું કે, શરદ પવારના એનસીપીના અધ્યક્ષપદેથી રાજીનામું આપવાની જાહેરાતથી તમામ લોકો આશ્ચર્યમાં છે. અમે તેમને તેમનો નિર્ણય પાછો ખેંચવા માટે સમજાવીશું.
નેતાઓની બેઠક બાદ છગન ભુજબલે કહ્યું કે, શરદ પવાર દ્વારા તેમના અનુગામી અંગે નિર્ણય લેવા માટે રચવામાં આવેલી સમિતિની કોઈ બેઠક થઈ નથી. અમે મુંબઈમાં હોવાથી પવાર સાહેબને રાજીનામું પાછું ખેંચવા માટે કેવી રીતે સમજાવવું તેની ચર્ચા કરવા અમે અનૌપચારિક રીતે મળ્યા હતા. અહીં તેમણે ફરીથી સુપ્રિયા સુલેના નામની વકિલાત કરી હતી.
બીજી તરફ પ્રફુલ્લ પટેલે જણાવ્યું કે, આજે વાય.બી.ચૌહાણ સેન્ટરમાં કોઈપણ પ્રકારની મીટીંગ થઈ નથી. કોઈપણ પ્રકારનો નિર્ણય લેવાયો નથી. ખબર નથી કે તેમના મનમાં શું છે. હું તમને વિનંતી કરું છું કે અફવાઓ ન ફેલાવો, અટકળો ન કરો. પવાર સાહેબને વધુ સમયની જરૂર છે.
તેમણે કહ્યું કેસ, સુપ્રિયા સુલેનું નામ પણ એક અફવા છે. સવારથી મીડિયામાં જે સમાચાર ચાલી રહ્યા છે તે ખોટા છે. તે અહેવાલોમાં કોઈ તથ્ય નથી. હું પ્રમુખ પદની જવાબદારી લેવા તૈયાર નથી. મને પ્રમુખ પદમાં રસ નથી.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
