For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજેશ ખન્ના, રાહુલ દ્રવિડ અને મેરિકોમને પદ્મ ભૂષણ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 જાન્યુઆરી: પ્રજાસત્તાક દિવસના અવસરે આપવામાં આવનારા પદ્મ પુરસ્કારોની જાહેરાત થવાની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સિનેમામાં અમૂલ્ય યોગદાન આપવા બદલ સુપર સ્ટાર રાજેશ ખન્નાને મરણોપરાંત પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. જ્યારે શ્રીદેવીને પદ્મશ્રી પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવશે. ક્રિકેટમાં યોગદાન બદલ રાહુલ દ્રવિડને પદ્મ ભૂષણથી સન્માનવામાં આવશે.

Padma Bhushan
સરકાર તરફથી પદ્મ સન્માન મેળવનારાઓની સૂચિ તૈયાર કરી લેવામાં આવી છે. રાજેશ ખન્ના અને રાહુલ દ્રવિડની સાથે સાથે મહિલા મુક્કેબાજીમાં શાનદાર મુકામ હાસલ કરનાર મૈરી કોમને પણ પદ્મ ભૂષણ થકી નવાજવામાં આવશે.

ઋતુ કુમાર અને વિજય કુમારને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. પ્રોફેસર યશપાલ, હૈદર રજા, રઘુનાથ મહાપાત્રા, આર.નરસિમ્હાને પદ્મ વિભૂષણ થકી સન્માનિત કરવામાં આવશે. બોલીવુડ કલાકાર શર્મિલા ટેગોરને પદ્મ ભૂષણ પુરસ્કાર આપવામાં આવશે.

English summary
Rajesh Khanna, Rahul Dravid And maricom may get Padma Bhushan award on 26th January.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X