ભારતમાં કોરોનાના સક્રિય કેસોમાં ઘટાડો કેવી રીતે થઈ રહ્યો છે? જાણો કારણ
દેશમાં કોરોના વાયરસના નવા દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જાણો અહીં કારણ..
નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસના નવા દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સપ્ટેમ્બર મહિનાના મધ્યમાં 10.17 લાખથી વધુ સક્રિય કેસ હતા જ્યારે આ કેસ નવ લાખથી નીચે પહોંચી ચૂક્યા છે. વળી, કોરોનાથી રિકવર થનારા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ભારતના કોરોના વાયરસના સક્રિય કેસોમાં લગભગ 20 ટકા ઘટાડો આવ્યો છે. વળી, આ સમયમાં 23,000 લોકોના મોત થયા છે. આ આંકડાઓ અનુસાર મરનારની સરખામણીમાં કોરોનાથી રિકવર થનારા લોકોની સંખ્યા વધુ છે. જે બાકી 80 ટકા છે તે રોજ કોરોનાના નવા કેસોમાં આવી રહેલ ઘટાડાનુ પરિણામ છે કે જે બિમારીથી રિકવર થનાર લોકોની સંખ્યાથી ઓછુ છે.
કોરોનાના નવા કેસોની સંખ્યા લગભગ અડધી ઘટી ગઈ
ઉદાહરણ તરીકે ગુરુવારે લગભગ 70,000 નવા કેસ સામે આવ્યા જ્યારે 78,000થી વધુ લોકો કોરોનાથી રિકવર થયા. સપ્ટેમ્બરની શરૂઆતથી ગુરુવારરની ગણતરી 70,496 દેશમાં સૌથી ઓછી હતી, આ સોમવારને છોડીને જ્યારે માત્ર 61,000 નવા કેસ મળ્યા હતા. જેનુ મુખ્ય કારણ એ હતુ કે રવિવારે ઓછુ પરીક્ષણ થયુ હતુ. ગુરુવારે ઓછા કેસ નોંધાયા તેમાં કોરોનાનુ યોગદાન વધુ રહ્યુ છે કારણકે જ્યાં હવે કોરોનાના નવા કેસોની સંખ્યા છેલ્લા અમુક દિવસોની સરખામણીમાં લગભગ અડધી ઘટી ગઈ છે.
7000થી વધુ લોકો થયા રિકવર
જો કે ગુરુવારે આ સંખ્યા ઘટીને 5,500થી ઓછી રહી ગઈ. કેરળ કે જે અત્યારે દેશમાં સૌથી ઝડપથી વિકાસ કરી રહ્યુ છે તે છેલ્લા બે સપ્તાહથી રોજ 7000થી 9000 નવા કેસો રિપોર્ટીંગ કરી રહ્યુ છે પરંતુ ગુરુવારે લગભગ ત્રણ સપ્તાહમાં નવા કેસોની સરખમણીમાં કેરળમાં વધુ રિકવરી થઈ. ગુરુવારે 7000થી વધુ લોકોની બિમારીમાંથી રિકવર થયાની ઘોષણા કરવામાં આવી હતી.
રિકવર થનારા લોકોમાં થઈ રહ્યો છે વધારો
સરકારી તંત્ર અને સ્વાસ્થ્ય ક્ષેત્રે સતત કરવામાં આવી રહેલા પ્રયાસોના કારણે કોરોના વાયરસથી રિકવર થનારા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. હાલમાં નવા દર્દીઓથી વધુ લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યા છે. મુંબઈમાં જ માત્ર ઓક્ટોબરના કોરોના દર્દીઓના આંકડા જોઈએ તો નવા દર્દીઓની સરખામણીમા વધુ 13,102 દર્દીઓને ઘરે મોકલવામાં આવ્યા છે. 1થી 8 ઓક્ટોબર વચ્ચે રાજ્યમાં કોરોનાના 1,10,592 કેસ નોંધાયા છે. જ્યારે આ દરમિયાન 1,23,694 લોકો કોરોનાને મ્હાત આપવામાં સફળ થયા છે. કોરોનાનો રિકવરી રેટ 81.13 ટકા સુધી પહોંચી ગયો છે.
મિઝોરમમાં 3.6 તીવ્રતાના ભૂકંપના ઝટકા, લોકો ઘરની બહાર નીકળ્યા