For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફૂડ બિલ લાવવામાં સરકારે શા માટે ઉતાવળ કરીઃ જેટલી

|
Google Oneindia Gujarati News

arun-jaitely
નવી દિલ્હી, 2 સપ્ટેમ્બરઃ રાજ્યસભામાં નેતા પ્રતિપક્ષ અરૂણ જેટલીએ ફૂડ સિક્યરિટી બિલ પર કહ્યું છે કે, જ્યારે રાજ્યો પાસે કેન્દ્ર કરતા સારી નીતિ છે તો ફછી સરકારને ફૂડ સિક્યોરિટી બિલ લાવવામાં ઉતાવળ કરવાની જરૂર શા માટે હતી. તેમણે બિલ અનુસાર લાભાંવિત થનારા લોકોની સંખ્યા પર પણ પ્રશ્નો ઉઠાવ્યા સાથે જ એ પણ પ્રશ્ન કર્યો કે જે રાજ્યોની સરકારોની સારી યોજના ચાલી રહે છે, એ રાજ્યોનું શું થશે?

જેટલીએ કહ્યું કે, ફૂડ સિક્યોરિટી હેઠળ કેન્દ્ર માત્ર લોકોને અનાજ આપશે, જ્યારે અનેક રાજ્યોમાં લોકોને અનાજની સાથોસાથ દાળ, ખાંડ અને મીઠું પણ આપવામાં આવી રહ્યું છે. તેવામાં જે રાજ્યો ગરીબોને ભોજન આપવાના મામલે સારું કરી રહ્યાં છે, તેમની યોજના ચાલું રહેશે કે બંધ થઇ જશે. સરકાર આ બિલને લાવવામાં આટલી બધી ઉતાવળ શા માટે કરી રહી હતી.

નોંધનીય છે કે, ફૂડ સિક્યોરિટી બિલ લોકસભામાં પારિત થઇ ગયું છે. આજે રાજ્યસભામાં ચર્ચા થઇ રહી છે. બીજી તરફ ફૂડ સિક્યોરિટી બિલ પર ચર્ચા દરમિયાન રાજ્યસભામાં હંગામો થવાના કારણે રાજ્યસભાની કાર્યવાહી આજે બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

English summary
Leader of Opposition in the Rajya Sabha Arun Jaitley on Monday moved a motion on the much-touted Food Security Bill.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X