શું આ વખતે પોતાના પારિવારિક 'દુર્ભાગ્ય'થી બચી શકશે દેવગૌડા પરિવાર?
નવી દિલ્હીઃ કર્ણાટકમાં જેડીએસ સુપ્રીમો એચડી દેવગૌડાના પરિવાર સાથે એક દુર્ગાભ્યપૂર્ણ સંયોગ જોડાયેલો છે કે તેમની સરકારો પોતાનો કાર્યકાળ પૂરો નથી કરી શકતી. આવા ઓછામાં ઓછા ત્રણ અવસર આવ્યા છે, જ્યારે પરિવારના સભ્યોના હાથમાં સત્તા આવી છે, પરંતુ તેઓ અમુક મહિનાઓ સુધી જ સત્તા સંભાળી શક્યા. એચડી કુમારસ્વામી સામે ફરી એકવાર આજ પારિવારિક દુર્ભાગ્ય સામે આવ્યો છે ત્યારે સવાલ એ છે કે શું આ વખતે પોતાના પરિવારના મિથકને તોડી શકશે?

દેવગૌડાએ પણ નહોતું વિચાર્યું હશે કે તેઓ પીએમ બનશે
1 જૂન 1996ના રોજ મુલાયમ, લાલૂ અને જ્યોતિ બસુ જેવા નેતાઓને પછાડી એચડી દેવગૌડાનું પીએમ બનવું કોઈ દુર્લભ સંયોગથી ઓછું હોતું. તેમના પહેલા દક્ષિણ ભારતના માત્ર પીવી નરસિમ્હા રાવને જ આ મોકો મળ્યો હતો. જો તે સમયની રાજનૈતિક પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરે તો ત્યારે ધુરંધર રાજનૈતિક ચિંતકોએ પણ નહોતું વિચાર્યું કે દેવગૌડાને પીએમ બનવાનો મોકો મળશે. પરંતુ, રાજકીય સમીકરણ એવા બન્યા કે ત્રિશંકુ લોકસભામાં દેવગૌડાની તાજપોશી થઈ ગઈ. પરંતુ તેઓ એક વર્ષથી પોતાનો કાર્યકાળ ન ચલાવી શક્યા અને માત્ર 11 મહિનામાં જ તેમને 7 રેસકોર્સ રોડથી ચાલવું પડે છે.

પિતાની જેમ કુરમાસ્વામીનો પણ હાલ
મે 2018માં કર્ણાટક વિધાનસભામાં એવી જ તસવીર બનીને ઉભરી જેમાં ભાજપ 104 ધારાસભ્યો સાથે સૌથી મોટી પાર્ટી તો બની, પરંતુ બહુમતથી પાછળ છૂટી ગઈ. એચડી દેવગૌડાએ ફરીથી 1996 વાળો જ દાંવ લગાવ્યો અને જેડીએસ ાસે માત્ર 37 ધારાસભ્યો હોવા છતા 80 ધારાસભ્યો વાળી કોંગ્રેસે એચડી કુમારસ્વામીને મુખ્યમંત્રી બનાવવા માટે મજબૂર કરી દીધા. હવે કુમારસ્વામી સરકારના પણ માત્ર 14 મહિના જ થયા છે અને તેઓ સત્તાથી બહાર થવાની સ્થિતિમાં આવી ચૂકી છે. અગાઉ પણ તેમને માત્ર 21 મહિના માટે જ કર્ણાટકમાં મુખ્યમંત્રી રહેવાનો મોકો મળ્યો હતો. તેઓ ફેબ્રુઆરી 2006થી ઓક્ટોબર 2007 સુધી ભાજપના સમર્થનથી પ્રદેશના સીએમ રહ્યા હતા, પરંતુ બાદમાં પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. એવામાં આ જોવાનું રહેશે કે શું આ વખતે તેઓ પોતાના આ મિથકને તોડી શકશે?

દેવગૌડા પરિવારની ત્રીજી પેઢીની પણ એન્ટ્રી
દેવગૌડા ખુદને ખેડૂતના દીકરા ગણાવે છે અને રાજનીતિમાં પોતાની એન્ટ્રીને એક દુર્ઘટના માને છે. પરંતુ હકીકત એ છે કે આજે તેમના પરિવારની ત્રીજી પેઢી પણ પોતાનું પુરું જોર લગાવી રહી છે. તેમના પૌત્ર એક્ટર નિખિલે આ વખેત માંડ્યા લોકસભા સીટથી પોતાની કિસ્મત અજમાવી હતી, પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો. માટે પિરવારવાળાઓએ તેને જેડીએસના યૂથ વિંગના ચીફ બનાવી દીધા છે.
Sheila Dikshit: કોંગ્રેસે જ નહિ બલકે ગાંધી પરિવારે પોતાના મહત્વના વ્યક્તિને ગુમાવ્યા