Winter session round up : સાંસદોના સસ્પેન્શન, લખીમપુર ખેરી ઘટના અંગે વિપક્ષોએ સરકારને ઘેરી
રાજ્યસભાને વારંવાર સ્થગિત કરવામાં આવી હતી. કારણ કે, વિપક્ષના સભ્યોએ 12 સાંસદોના સસ્પેન્શનને રદ્દ કરવાની માગ સાથે વિરોધ ચાલુ રાખ્યો હતો.
Winter session round up : સંસદમાં તેરમા દિવસે તોફાની સત્ર જોવા મળ્યું હતું. જેમાં વિપક્ષોએ સસ્પેન્ડેડ સાંસદ અને લખીમખેરી હિંસા રદ્દ કરવાને લઈને સરકારને ઘેરી હતી. રાજ્યસભાને વારંવાર સ્થગિત કરવામાં આવી હતી. કારણ કે, વિપક્ષના સભ્યોએ 12 સાંસદોના સસ્પેન્શનને રદ્દ કરવાની માગ સાથે વિરોધ ચાલુ રાખ્યો હતો.
લોકસભામાં વિપક્ષે કેન્દ્રીય પ્રધાન અજય મિશ્રાના રાજીનામાની માગને વધુ તીવ્ર બનાવી અને લખીમપુર ખેરી હિંસાની તપાસ કરતી વિશેષ તપાસ ટીમે 3 ઓક્ટોબરની ઘટનાને "પૂર્વ આયોજિત કાવતરું" ગણાવ્યા બાદ કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પાડી હતી.
રાહુલે મુલતવી રાખવાની સૂચના આપી
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ લોકસભામાં ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાને હટાવવાની માગણી સાથે સ્થગિત નોટિસ દાખલ કરી હતી. જેમનો પુત્ર આ કેસમાં આરોપી છે.
તેમની નોટિસમાં રાહુલ ગાંધીએ ગૃહની કાર્યવાહી સ્થગિત કરવાની માગ કરી છે અને માગ કરી છે કે, લખીમપુર ખેરી ઘટના પર વિશેષ તપાસ ટીમ (SIT)ના અહેવાલને ચર્ચા માટે લેવામાં આવે.
યોગ્ય સમયે જમ્મ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો : સરકારે રાજ્યસભામાં જણાવ્યું
જમ્મુ અને કાશ્મીરને યોગ્ય સમયે રાજ્યનો દરજ્જો આપવામાં આવશે, એમ ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું છે. જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશોને રાજ્યનો દરજ્જો આપવા માટે કોઈ સમયરેખા છે કે, કેમ તે અંગેના પ્રશ્નનો રાય દ્વારા લેખિત જવાબ દાખલ કરવામાં આવ્યો હતો. આ વર્ષની શરૂઆતમાં પણ રાયે સંસદમાં માહિતી આપી હતી કે, રાજ્યનો દરજ્જો ટૂંક સમયમાં પુનઃસ્થાપિત કરવામાં આવશે.
મંત્રીએ જુલાઈમાં જણાવ્યું હતું કે, "બંધારણીય ફેરફારો અને જમ્મુ અને કાશ્મીરના અગાઉના રાજ્યના જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજનને ધ્યાનમાં રાખીને, રાષ્ટ્રીય હિતમાં અને જમ્મુ અને કાશ્મીરની સુરક્ષાના હિતમાં, વિવિધ સંચાર ચેનલ્સ પર અસ્થાયી પ્રતિબંધો જેમ કે, જમ્મુ અને કાશ્મીરમાં ઇન્ટરનેટ અને મોબાઇલ સેવાઓનો આશરો લેવામાં આવ્યો હતો".