'માત્ર 41 મીનીટમાં અખિલેશને કહીને દુર્ગાને કરાવ્યા સસ્પેન્ડ'
ભાટીએ ગુરુવારે કહ્યું, ‘ મે માનનીય મુલાયમ સિંહ યાદવ સાથે વાત કરી, પછી માનનીય અખિલેશ સાથે 10. 30 વાગ્યે વાત કરી અને પછી 11.11 વાગ્યે એસડીએમના સસ્પેન્શનનો ઑર્ડર અહીં કલેક્ટર પાસે આવી ગયો. આ છે લોકતંત્રની તાકાત. હું મને જણાવવા માંગુ છું કે, જે મહિલાએ અહીં આટલી બેહુદગી કરી તે તેને 40 મીનીટ પર સહન કરી શકી નહીં.
ભાટીએ જણાવ્યું કે, માત્ર 41 મીનીટમાં લખનઉના એસડીએમ દુર્ગા શક્તિનું સસ્પેન્શન ઑર્ડર ટાઇપ થઇને કલેક્ટર પાસે પહોંચી ગયો અને એ મહિલાને 11.11 વાગ્યે ખબર પડી ગઇ કે તે સસ્પેન્ડ થઇ ગઇ છે.
નરેન્દ્ર ભાટીએ વધુમાં કહ્યું કે, જો કોઇ સારુ કામ કર્યું હોય તો તેને ધન્યવાદ પણ આપવું જોઇએ પરંતુ ખરાબ કામ કરનારને દંડ પણ મળવો જોઇએ, આ લોકતંત્રની પરંપરા છે. આ લોકતંત્રની મહિમા છે, તેનાથી લોકતંત્ર જીવીત રહેશે. જો અમે ભૂલ કરી હોય તો અમે ટોકો, ટોકવાની સેંકડો રીત હોય છે.