UP News: યોગી સરકારે આગલા 3 વર્ષ માટે રાખ્યુ મોટુ લક્ષ્ય, 3 લાખ કરોડની નિકાસનો ટાર્ગેટ
CM Yogi Adityanath Government: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે આગામી ત્રણ વર્ષમાં 3 લાખ કરોડ રૂપિયાની નિકાસનો લક્ષ્યાંક રાખ્યો છે. યુપી રાજ્યના ઔદ્યોગિક વિકાસ મંત્રી નંદ ગોપાલ ગુપ્તા 'નંદી'એ આ દાવો કર્યો છે.
રાજ્યના ઔદ્યોગિક વિકાસ મંત્રી નંદ ગોપાલ ગુપ્તા 'નંદીએ' કહ્યું છે કે ઉત્તર પ્રદેશ દેશનો પાંચમો સૌથી મોટો નિકાસકાર છે જેની નિકાસ 2017-18માં 88000 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2022-23માં 1,74,000 કરોડ થઈ ગઈ છે.

રાજ્ય સરકારે આગામી ત્રણ વર્ષ માટે 3 લાખ કરોડ રૂપિયાની નિકાસનો લક્ષ્યાંક રાખ્યો છે. યોજના ભવન ખાતે નિકાસ નીતિ 2023 પરના સેમિનારમાં સભાને સંબોધતા નંદ ગોપાલ ગુપ્તા 'નંદી'એ જણાવ્યું હતું કે દેશમાંથી થતી કુલ નિકાસમાં રાજ્યનો હિસ્સો પાંચ ટકા છે.
તેમણે કહ્યું કે આ સાથે ઉત્તર પ્રદેશને દેશના પાંચમા સૌથી મોટા નિકાસકારનો દરજ્જો મળ્યો છે. આ પ્રસંગે બોલતા મુખ્યમંત્રીએ માહિતી આપી હતી કે રાજ્યની નિકાસ 2017-18માં રૂ. 88,000 કરોડથી વધીને 2022-23માં રૂ. 1,74,000 કરોડ થઈ છે.
મુખ્ય સચિવ દુર્ગા શંકર મિશ્રાએ હાજર લોકોને યુપી વિશે માહિતી આપી. નોઈડામાં 21થી 25 સપ્ટેમ્બર દરમિયાન આંતરરાષ્ટ્રીય વેપાર શોનું આયોજન કરવામાં આવ્યું છે. મિશ્રાએ જણાવ્યું હતું કે આ ઇવેન્ટમાં વિશ્વભરમાંથી 400થી વધુ ખરીદદારો ભાગ લેશે.
આ સાથે રાજ્યના અગ્રણી નિકાસકારોએ તેમના મંતવ્યો વ્યક્ત કર્યા હતા અને ઉત્તર પ્રદેશમાં નિકાસ કેવી રીતે વધારી શકાય તે અંગે સૂચનો આપ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નિકાસકારો હાજર રહ્યા હતા.












Click it and Unblock the Notifications
