For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોવિડ સામે લડાઈમાં રિલાયન્સનુ મોટુ એલાન, જામનગરમાં બનશે 1000 બેડનુ કોવિડ સેન્ટર, ફ્રીમાં થશે ઈલાજ

રિલાયન્સ ફાઉન્ડેશન ગુજરાતમાં જામનગરમાં 1000 બેડનુ કોવિડ કેર સેન્ટર તૈયાર કરાવી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

જામનગરઃ કોરોના વાયરસના વધતા સંક્રમણના કારણે દેશભરમાં હોસ્પિટલોમાં જગ્યાની કમી થઈ રહી છે. આના માટે જ્યાં દુનિયાભરમાંથી મદદ મળી રહી છે ત્યાં સંકટની આ ઘડીમાં ભારતીય ઉદ્યોગ જગત પણ કોરોના સામે લડાઈમાં ભાગ લઈ રહ્યો છે. મદદ કરનારામાં રિલાયન્સ ફાઈન્ડેશનનુ નામ મુખ્ય છે. હવે લેટેસ્ટ સમાચાર છે કે રિલાયન્સ ફાઉન્ડેશન ગુજરાતમાં જામનગરમાં 1000 બેડનુ કોવિડ કેર સેન્ટર તૈયાર કરાવી રહ્યુ છે. આ સેન્ટરમાં ઑક્સિજન સપ્લાયની પણ વ્યવસ્થા રહેશે.

coronavirus

આ કોવિડ હોસ્પિટલની ખાસિયત એ હશે કે અહીં દર્દીઓને બધી સેવાઓ મફત આપવામાં આવશે અને તેને બનાવવાથી લઈને અહીં બધી સુવિધાઓ આપવાનો ખર્ચ રિલાયન્સ વહન કરશે. રિલાયન્સ ફાઉન્ડેશને આ અંગે માહિતી આપી છે.
ફાઉન્ડેશને જણાવ્યુ કે 400 બેડનુ એક કોવિડ સેન્ટર રાજકીય ડેન્ટલ કૉલેજ તેમજ હોસ્પિટલ જામનગરમાં એક સપ્તાહની અંદર તૈયાર થઈને કામ શરૂ કરી દેશે. ત્યારબાદ જામનગરમાં જ એક બીજી જગ્યાએ આગલા 2 સપ્તાહમાં 600 બેડની હોસ્પિટલ બનીને તૈયાર થઈ જશે જ્યાં દર્દીઓનો ઈલાજ કરી શકાશે.

એક દિવસમાં 1.33 કરોડ લોકોએ કરાવ્યુ વેક્સીન માટે રજિસ્ટ્રેશનએક દિવસમાં 1.33 કરોડ લોકોએ કરાવ્યુ વેક્સીન માટે રજિસ્ટ્રેશન

English summary
Reliance foundation setting up 1000 bed covid care facilities in Jamnagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X