CM રૂપાણીએ ભૂગર્ભ ગટર યોજનાનો શિલાન્યાસ કરી કહ્યુ- જૂનાગઢને હેરિટેજ સિટી તરીકે વિકસાવાશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બુધવારે જાહેરાત કરી કે જૂનાગઢને હેરિટેજ સિટી તરીકે વિકસાવવામાં આવશે જ્યાં પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકો માટે શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. વળી, રૂપાણીએ બુધવારે જૂનાગઢમાં રૂ. 319.48 કરોડના અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્ક અને ત્રણ સેવેજ વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જૂનાગઢ એકમાત્ર એવુ કૉર્પોરેશન છે જ્યાં મૉડર્ન અંડરગ્રાઉન્ડ સેવેજ નેટવર્ક નથી.
ગટર યોજનાનો શિલાન્યાસ કર્યા બાદ જૂનાગઢ શહેરમાં પોલિસ પરેડ ગ્રાઉન્ડમાં સાર્વજનિક બેઠકને સંબોધતા રૂપાણી જાહેરાત કરી કે જૂનાગઢ શહેરના ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન બસ સ્ટેશન પાસે અને જોશીપુરા વિસ્તારમાં બે ફ્લાયઓવર બનાવવા માટે રૂ. 88 કરોડ ફાળવવામાં આવશે. એક અધિકૃત પ્રેસ રિલીઝ મુજબ સીએમ રૂપાણીએ જણાવ્યુ કે, 'આ બે બ્રીજ બન્યા પછી જૂનાગઢના નાગરિકોને ટ્રાફિકની મુશ્કેલી નહિ થાય.'
આ પ્રસંગે રૂપાણીએ કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંદિર તરફ જતા વિશ્વના સૌથી લાંબા ગિરનાર રોપવેનુ ગયા વર્ષે ઓક્ટોબરમાં ઉદ્ઘાટન કર્યુ ત્યારથી રૂ.2.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ગિરનારની ટોચે મંદિરના દર્શન કર્યા. આપણે નરસિંહ તળાવ, મહાબત મકબરા અને ઉપરકોટ ફૉર્ટ કૉમ્પ્લેક્સનો વિકાસ કરીને જૂનાગઢને ટુરિઝમ હબ બનાવી શકીએ.
તમને જણાવી દઈએ કે જૂનાગઢ એ ગુજરાતના સૌથી જૂના શહેરમાંનુ એક છે જે આશરે 2300 વર્ષ જૂનો ઈતિહાસ ધરાવે છે. ઉપરકોટ ફૉર્ટ કૉમ્પ્લેક્સ, માજેવાડી ગેટ અને સરદાર ગેટનુ સમારકામ હાલમાં ચાલુ છે. ગિરનારના જંગલમાં અમે ઈન્દ્રેશ્વર લાયન સફારી પાર્ક પણ ઓપન કરીશુ જેના માટે વન વિભાગને સૂચના જારી કરી દેવામાં આવી છે. ટુરિઝમનો વિકાસ કરીને જૂનાગઢનો આર્થિક વિકાસ થશે. રાજ્ય માહિતી ખાતા દ્વારા અગાઉ જાહેર કરાયેલ અધિકૃત રિલીઝ મુજબ શહેર વ્યાપી ડ્રેનેજ અને એસટીપી પ્રોજેક્ટથી જૂનાગઢ શહેરના 3.5 લાખ નાગરિકોને 27 મહિનાની અંદર ગટર સુવિધા પૂરી પાડવામાં આવશે.
વેક્સીન લગાવ્યા બાદ થયેલ 4 મોત પર આરોગ્ય મંત્રાલયે આપી સફાઈ