For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલે માંગ્યો હતો દિલ્હીના ભગવાનદાસ રોડ પર બંગલો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધા બાદ બે પછી ભગવાન દાસ રોડ પર સરકારી બંગલા માટે અનુરોધ કર્યો હતો. આ વાતનો ખુલાસો મુખ્યમંત્રી કાર્યાલયથી ઉપ રાજ્યપાલને લખેલા પત્રમાં થયો છે.

અરવિંદ કેજરીવાલે તેમને પાંચ રૂમવાળા એક બીજાને અડીને આવેલા બે બંગલા ફાળવવા મુદ્દે ઉદભવેલા વિવાદ બાદ ભગવાન દાસ રોડ સ્થિત આવાસમાં જવાની મનાઇ કરી હતી.

મુખ્યમંત્રીના સચિવ દ્વારા ઉપ રાજ્યપાલને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે 'મુખ્યમંત્રીએ ભગવાન દાસ રોડ પર મકાન નંબર 6-7 અને 7-7ની ફાળવાણી માટે અનુરોધ કર્યો હતો. અનુરોધ કરવામાં આવે છે કે મુખ્યમંત્રીને ફાળવવા માટે તેમને દિલ્હી સરકારને ઉપલબ્ધ કરાવવામાં આવે. દિલ્હી સરકાર ઉપરોક્ત બે ઘરોના બદલામાં બે ટાઇપના 6 ઘર પુરા પાડશે.' ગત વર્ષે 30 ડિસેમ્બરના રોજ આ પત્ર લખવામાં આવ્યો હતો. બે દિવસ પહેલાં જ કેજરીવાલે થપથ લીધી હતી.

arvind-kejariwal

ઉપ રાજ્યપાલે તે દિવસે જ ઘરોની ફાળવણીને મંજૂરી આપી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી માટે 10 જાન્યુઆરીએ નવેસરથી ઘરની શોધ કરવામાં આવી. અરવિંદ કેજરીવાલ 1 ફેબ્રુઆરીથી નવા ઘરમાં આવી ગયા છે જે તિલક લેનમાં છે.

English summary
Delhi Chief Minister and Aam Aadmi Party convener Arvind Kejriwal's lie has been nailed regarding the two official bungalows that had been allotted to him initially at Bhagwan Das Road, a prime location in the heart of national capital.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X