વિધાનસભાઓની ચૂંટણીના પરિણામની અસર રાષ્ટ્રીય રાજકારણ પર પડશે
નવી દિલ્હી, 8 ડિસેમ્બર: ચાર રાજ્યોમાં મતગણતરીનું કામ શરૂ થઇ ગયું છે. રાજ્ય વિધાનસભાઓ માટે મતદાનમાં એક અનુમાન અનુસાર 8 કરોડથી વધુ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આ આકરા ચૂંટણી સંઘર્ષના પરિણામ આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીના પરિણામ પર પણ અસર પડે તેવી સંભાવના છે. મતદાન બાદ કરાવવામાં આવેલા સર્વેક્ષણોના પરિણામ બુધવારે જાહેર કરવામાં આવ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં જ્યાં પોતાની સત્તા બચાવી લેશે, તો બીજી તરફ રાજસ્થાનમાં કોંગ્રેસ પાસેથી ખુરશી છિનવી લેવામાં સફળતા મેળવી લીધી છે.
સૌથી વધુ અસમંજસ દિલ્હીને લઇને છે જ્યારે ફક્ત એક વર્ષ જુની આમ આદમી પાર્ટી (આપ) વિશે અનુમાન છે કે તેને ભાજપ અને કોંગ્રેસ બંનેના મતોમાં સેંઘ લગાવી છે. આ મુજબ અહીં ત્રિશંકુ વિધાનસભાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમછતાં કોંગ્રેસી ખેમામાં હજુ સુધી આશા અમર છે. પાર્ટીમાં સર્વેના ઇતર પરિણામ આવવાની આશા જીવત છે, પરંતુ તેના આ આશાવાદ પણ પાણી ફરી વળતું જોવા મળી રહ્યું છે. આ ચૂંટણી અન્ય રાજ્યોના છે, પરંતુ ત્યારે પણ રાજકારણ પર તેના પરિણામની અસરને ટાળી ન શકાય.
સત્તાની લડાઇમાં ભાજપ અને કોંગ્રેસ ગઠબંધન આસને-સામને છે. આશા મુજબ પરિણામ આવતાં ભાજપના અતિ મહત્વાકાંક્ષી નેતા અને વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને વધુ તાકાત આપનાર સાબિત થશે. આ મુકાબલામાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને ઝટકો આપનાર સાબિત થશે. પાંચમા રાજ્ય મિઝોરમમાં ચૂંટણી યોજાઇ છે અને તેની સોમવારે મતગણતરી થશે.