વિવાદોની ‘કૃષ્ણા’ ભાજપને કરાવશે સફળ ‘તીરથ’?
નવી દિલ્હી, 19 જાન્યુઆરી : કોંગ્રેસ પક્ષની સમસ્યાઓ અને મુશ્કેલીઓ ઓછી થવાના સ્થાને રોજેરોજ વધતી જઈ રહી છે. આ વખતે પક્ષના વરિષ્ઠ નેતા તથા યૂપીએ સરકારમાં કૅબિનેટ મંત્રી રહેલા કૃષ્ણા તીરથે ભાજપનો હાથ ઝાલી લીધો છે. આવો જાણીએ કે કોણ છે કૃષ્ણા તીરથ?
કૃષ્ણા તીરથ દિલ્હી રાજ્યમાં કોંગ્રેસના મોટા કદના નેતાઓની કૅટેગરીમાં સામેલ છે. 1984માં તેઓ પહેલી વખત દિલ્હી વિધાનસભા માટે ધારાસભ્ય તરીકે ચુંટાયા હતાં. તીરથ શીલા દીક્ષિત સરકારમાં સામાજિક કલ્યાણ મંત્રી રહ્યાં છે. બાદમાં શીલા સાથે મતભેદના પગલે તેમને મંત્રી પદેથી હટાવી દિલ્હી વિધાનસભાના ઉપ સભાપતિ બનાવાયા હતાં.
લોકસભામાં
પણ
પહોંચ્યાં
2004માં
કૃષ્ણા
તીરથે
ભાજપના
અનીતા
આર્યને
હરાવી
લોકસભામાં
પહેલી
વખત
પ્રવેશ
મેળવ્યો
હતો.
2009માં
તેઓ
ફરી
એક
વાર
ભાજપના
જ
મીરા
કાંવરિયાને
પરાસ્ત
કરી
સાંસદ
ચુંટાયાં.
પછી
તેમને
મનમોહન
સરકારમાં
મહિલા
તથા
બાળ
વિકાસ
મંત્રાલયની
જવાબદારી
સોંપાઈ.
વિવાદો
સાથે
નાતો
કૃષ્ણા
તીરથ
પહેલી
વખત
2010માં
સરકાર
દ્વારા
અખબારોમાં
આખા
પાનાની
જાહેરાત
અપાતા
વિવાદમાં
આવ્યા
હતાં
કે
જેમાં
પાકિસ્તાનના
ભૂતપૂર્વ
ઍર
ચીફ
માર્શલ
તનવીર
મહમૂદ
અહમદ
સાથે
તે
વખતના
વડાપ્રધાન
મનમોહન
સિંહ
અને
કોંગ્રેસ
પ્રમુખ
સોનિયા
ગાંધીની
તસવીર
છપાઈ
હતી.
જોકે આ જાહેરખબર છપાયા બાદ પહેલા તો તીરથે ભૂલ માનવાનો ઇનકાર કર્યો, પરંતુ બાદમાં તેમણે આ જાહેરખબર અંગે માફી માંગતા તેની તપાસના આદેશો આપ્યા હતાં.
કૃષ્ણા તીર્થ સામે મંત્રી પદના દુરુપયોગના આરોપો પણ લાગેલા છે. તેમની સામે આરોપ છે કે તેમણે પોતાની દીકરી યશ્વી તીરથને દૂરદર્શનમાં એંકર તરીકે લેવા અંગે ભલામણ કરી હતી. આ ભલામણ સેંટ્રલ ટ્રિબ્યુનલે રદ્દ કરી દીધી હતી.