શરદ પવાર લપસી પડતાં ઘાયલ, સારવાર માટે મુંબઇ રવાના
નવી દિલ્હી, 3 ડિસેમ્બર: એનસીપી પ્રમુખ શરદ પવાર આજે સવારે મોર્નિંગ વોક દરમિયાન ઘરના આંગણામાં લપસી જતાં ઇજા પહોંચી છે. દિલ્હીમાં પ્રાથમિક સારવાર બાદ તેમને એર એંબુલેંસ દ્વારા મુંબઇના બ્રીચ કેંડી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. કહેવામાં આવે છે કે તેમના પગ અને કમરમાં ફેક્ચર છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર શરદ પવારને તેમના પગ અને પીઠમાં ઇજા પહોંચી છે. તેમને મુંબઇના બ્રીચ કેંડી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવશે. શરદ પવારની સાથે તેમની પત્ની પ્રતિભા અને પુત્રી સુપ્રિયા સૂલે પણ એર એંબુલેંસમાં મુંબઇ ગઇ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર પવાર જનપથ સ્થિત પોતાન બંગલામાં સવારે લટાર મારી રહ્યાં હતા ત્યારે લપસી પડ્યા, પરંતુ તેમને તેમની સ્થિતિ વિશે વિવરણ આપ્યું નથી. કોંગ્રેસ છોડીને 1999માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી રચનાર શરદ પવાર વર્તમાનમાં રાજ્યસભાના સભ્ય છે. તે ત્રણ વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને કેન્દ્રિય મંત્રી પણ રહી ચૂક્યાં છે.