કચ્છી ખેડૂતોની મહેનત રંગ લાવી, સુકી દેશી ખજૂરથી ભરાઇ તીજોરી
કચ્છ જિલ્લામાં અંજારના ખેડૂતો ખજૂરની બે જાતની ખેતી કરે છે - ઈઝરાયલી ખજૂર અને દેશી ખજૂક, પરંતુ દેશી ખજૂર ગુણવત્તામાં હલકી હોવાથી ખેડૂતોએ ફળનો સ્માર્ટ ઉપયોગ કર્યો છે.
રાજકોટ : કચ્છી સૂકી ખજૂર હવે માત્ર ભારતના માઉથ ફ્રેશનર્સનો સ્વાદ જ નહીં, પરંતુ આરોગ્યમાં પણ વધારો કરે છે. સુકી ખજૂર મીઠાઈઓ ઉપરાંત આઈસ્ક્રીમ અને ચોકલેટમાં પણ કુદરતી સ્વીટનર તરીકે ખાંડની અવેજી છે.
કચ્છ જિલ્લામાં અંજારના ખેડૂતો ખજૂરની બે જાતની ખેતી કરે છે - ઈઝરાયલી ખજૂર અને દેશી ખજૂક, પરંતુ દેશી ખજૂર ગુણવત્તામાં હલકી હોવાથી ખેડૂતોએ ફળનો સ્માર્ટ ઉપયોગ કર્યો છે. તેઓએ દેશી ખજૂરને ડ્રાય ડેટ્સમાં રૂપાંતરિત કરવાનું શરૂ કર્યું છે અને ભારતમાં કેટલીક માઉથ ફ્રેશનર કંપનીઓને આ સપ્લાય કરવાનું શરૂ કર્યું છે.
જ્યારે આ પ્રોજેક્ટ ટ્રાયલ બેઝ પર શરૂ કરવામાં આવ્યો હતો, ત્યારે ખેડૂતો, જેઓ તેમના સ્માર્ટ ઉપયોગથી સમૃદ્ધ પાક લેવાની આશા રાખે છે, તેઓએ છેલ્લી સિઝનમાં અત્યાર સુધીમાં 14 ટન સૂકી ખજૂરનું ઉત્પાદન કર્યું છે, જ્યારે તેઓ આ સિઝનમાં 25 ટન ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખે છે, જે 15 જૂનથી શરૂ થઈ છે. પાકિસ્તાન, ઈરાક અને યુએઈમાંથી ભારતની સૂકી ખજૂરની આયાત વાર્ષિક આશરે 3 લાખ ટન છે.
ગયા વર્ષે રૂપિયા 25 લાખનું રોકાણ કર્યું હતું
કચ્છ જિલ્લાના અંજાર શહેરથી 10 કિમી દૂર આવેલા પંતિયા ગામના ચાર ખેડૂતોએ ગયા વર્ષે રૂપિયા 25 લાખનું રોકાણ કર્યું હતું અનેઅમદાવાદ સ્થિત કંપની દ્વારા ઉત્પાદિત કસ્ટમાઇઝ ડ્રાયર મશીન મેળવ્યું હતું.
પંતિયા ગામના ચાર ખેડૂત પ્રફુલ્લ પટેલે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારત પાકિસ્તાન, UAE અને અન્યદેશોમાંથી સૂકી ખજૂર આયાત કરે છે. તેમાંથી મોટાભાગની પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી આવતી હતી. કારણ કે, તે પ્રદેશમાં ખાસગુણવત્તાવાળી ખજૂર છે જેને સરળતાથી સૂકી ખજૂરમાં બદલી શકાય છે. આ પ્રદેશનું કુદરતી તડકાનું વાતાવરણ પણ મશીનરીના ઉપયોગવિના ખજૂરને સૂકવવાનું સમર્થન કરે છે.
તેથી, આયાત સસ્તી હતી. જોકે, પુલવામા હુમલા બાદ, ભારત સરકારે પાકિસ્તાનમાંથી ખજૂરનીઆયાત પર 200 ટકા ડ્યુટી લાદી હતી, જેનાથી અમને સંપૂર્ણ તક મળી છે.
કચ્છમાં 19,000 હેક્ટર વિસ્તારમાં થાય છે ખજૂરની ખેતી
કચ્છમાં ખજૂરની ખેતી 19,000 હેક્ટર વિસ્તારમાં થાય છે અને વાર્ષિક ઉત્પાદન 1.8 લાખ ટન છે, પરંતુ ખજૂરની લણણીની મોસમ (જૂન અનેજુલાઈ) દરમિયાન ભેજને કારણે, કચ્છના ખેડૂતોએ દેશી ખજૂરને ડિહાઇડ્રેટ કરવા માટે ડ્રાયર મશીનનો ઉપયોગ કરવાની જરૂર છે. ખેડૂતો હવેમાત્ર સૂકી ખજૂર જ નહીં, પણ પાઉડર સ્વરૂપે પણ વેચી રહ્યા છે.
ડુંગળી માટે વપરાતી મશીનરી દ્વારા ખજૂરને ડિહાઇડ્રેટ કરવાનો પ્રયોગ કર્યો
અન્ય એક ખેડૂત, વિક્રમસિંહ જાડેજા, જેઓ કચ્છમાં ખજૂર ઉગાડનારા સંગઠનના પ્રમુખ છે, તેમણે જણાવ્યું હતું કે તેમણે લગભગ 15-20 વર્ષપહેલાં ડુંગળી માટે વપરાતી મશીનરી દ્વારા ખજૂરને ડિહાઇડ્રેટ કરવાનો પ્રયોગ કર્યો હતો.
જાડેજાએ ઉમેર્યું હતું કે, આવા સમયે કિંમત 42 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ હતી, જ્યારે આયાતકારોને પાકિસ્તાનથી 40 રૂપિયામાં સૂકીખજૂર મળતી હતી. તેથી, આ પ્રોજેક્ટ તે સમયે વ્યવહારિક લાગતો ન હતો, પરંતુ હવે પાકિસ્તાનની સૂકી ખજૂર પર ભારે આયાત ડ્યુટીપછી, અમારી પાસે એક મોટી તક છે.