ગુજરાત: સુરતના કઠોર ગામમાં દુષિત પાણીના કારણે 6 લોકોના મોત
છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દરેક વીતેલા દિવસની સાથે પરિસ્થિતિ સુધરતી હોય તેવું લાગે છે. પરંતુ આ રાહતના સમાચારની વચ્ચે સુરતમાં એક ગામમાં ગભરાઈને જીવન જીવવાની ફરજ પડે છે. ત્યાં બે
છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દરેક વીતેલા દિવસની સાથે પરિસ્થિતિ સુધરતી હોય તેવું લાગે છે. પરંતુ આ રાહતના સમાચારની વચ્ચે સુરતમાં એક ગામમાં ગભરાઈને જીવન જીવવાની ફરજ પડે છે. ત્યાં બે દિવસમાં 6 લોકોએ જીવ ગુમાવ્યો છે. હવે આ મોત કોરોનાને કારણે થયા નથી, પરંતુ ગંદા પાણીને આનું મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. આ ઘટના સુરતના કઠોર ગામની છે જ્યાં લોકો ખૂબ ડરી ગયા છે.

થોડા દિવસો અગાઉ સુરતનું કઠોર ગામને શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ હતું, આવી સ્થિતિમાં સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ પાયાની સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી. પરંતુ એવો દાવો કરવામાં આવ્યો છે કે પાણીની લાઇનમાં લીકેજ થયા પછી દૂષિત પાણી ઘણા લોકોના ઘરે પહોંચ્યું અને તેનો વપરાશ કર્યા પછી તબિયત બગડવાની શરૂ થઈ. લોકો વારંવાર ઉલટી અને ઝાડા થવાની ફરિયાદ કરવા લાગ્યા. આ સાથે ગમમાં 6 લોકોએ જીવ ગુમાવ્યો અને 50 થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કથળતી પરિસ્થિતિ જોઈને સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલી બેન વોઘાવાલા ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લોકો સાથે વાતચીત કરી હતી. માંગ મુજબ તેમની તરફથી એવી ઘોષણા કરવામાં આવી હતી કે મેયરના ભંડોળમાંથી મૃતકના સગાઓને એક લાખ રૂપિયા આપવામાં આવશે, જ્યારે બીમાર લોકોનો ખર્ચ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉઠાવશે. પાણીની ગુણવત્તા ઉપર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, આવી સ્થિતિમાં લોકોના ઘરે પહોંચાતા પાણીની પણ ચકાસણી કરવામાં આવી રહી છે, જ્યારે લોકોને શુધ્ધ પાણી મળી રહે તે માટે ટેન્કરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ બધા ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા કલોરિનની દવાનું વિતરણ પણ શરૂ કરાયું છે.
લોકોને હવે જે સહાય આપવામાં આવી રહી છે, જો તે અગાઉ મળી હોત અને પાણીની ગુણવત્તા નિયમિત રીતે તપાસવામાં આવી હોત તો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો ન હોત અને વહીવટી તંત્ર પર આ રીતે પ્રશ્ન કરવાનો મોકો મળ્યો ન હોત.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
