For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વેક્સિનનો બીજો ડોઝ નહીં લીધો હોય, તો આ સ્થળોની નહીં લઇ શકો મુલાકાત

સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને ટાંકીને જણાવ્યું હતું કે, સુરતમાં ઓછામાં ઓછા 668,000 લોકોએ તેમની નિયત તારીખ વટાવી હોવા છતાં કોવિડ 19 વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી છે. ઘણા કિસ્સાઓમાં, તેઓએ તેમનો બીજો ડોઝ લીધો નથી.

|
Google Oneindia Gujarati News

સુરતના લોકો કે જેમણે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી છે, તેઓને બગીચાઓ અને પ્રાણી સંગ્રહાલય જેવી જાહેર જગ્યાઓમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ અંગે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેરાત કરી છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)એ જણાવ્યું કે, આ નિયમ 15 નવેમ્બરથી અમલમાં આવશે.

 Corona vaccine

સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને ટાંકીને જણાવ્યું હતું કે, સુરતમાં ઓછામાં ઓછા 668,000 લોકોએ તેમની નિયત તારીખ વટાવી હોવા છતાં કોવિડ 19 વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી છે. ઘણા કિસ્સાઓમાં, તેઓએ તેમનો બીજો ડોઝ લીધો નથી, તેમ છતાં તેમને તેમનો બીજો ડોઝ લેવાનો હતો, તે દિવસથી લગભગ 250 દિવસ થઈ ગયા છે, અને વારંવાર કોલ, મેસેજ અને ડોર ટુ ડોર ઝુંબેશ છતાં આ અંતરમાં સતત વધારો થઇ રહ્યો છે.

મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, જે કારણે આવા લોકોને જાહેર સ્થળોએ પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમને જાહેર બગીચા, ઉદ્યાનો, પ્રાણી સંગ્રહાલય, માછલીઘર, વિજ્ઞાન કેન્દ્રો વગેરેમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેઓને શહેરની બીઆરટી બસમાં પણ ચઢવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

નાગરિક સંસ્થાના જણાવ્યા મુજબ, સુરતે કોવિડ 19 રસીના બંને ડોઝ સાથે લગભગ 62 ટકા લાભાર્થીઓને રસી અપાવી છે, જેનો અર્થ એ થાય છે કે, જે લોકોએ રસીકરણ કરાવ્યું છે, તેઓએ વાયરલ બીમારી સામે સંપૂર્ણ રસીકરણ પૂર્ણ કર્યું છે.

ગુજરાતના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર શનિવારના રોજ રાજ્યમાં કુલ 426,000 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા, જે અત્યાર સુધીમાં આપવામાં આવેલા ડોઝની કુલ સંખ્યા 74.1 મિલિયન પર પહોંચી ગયા છે. પશ્ચિમ રાજ્યમાં વધુ 37 લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, જેમાંથી આઠ કેસ સુરતમાં મળી આવ્યા હતા.

સંચિત સંક્રમણની સંખ્યા 826,924 છે, જેમાં અપરિવર્તિત મૃત્યુઆંક 10,090 છે. કુલ ડિસ્ચાર્જ અને એક્ટિવ કેસની સંખ્યા અનુક્રમે 816,608 અને 226 છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 37 નવા કોવિડ 19 કેસ નોંધાયા છે, આરોગ્ય વિભાગે શનિવારના રોજ જણાવ્યું હતું કે, શુક્રવારે નોંધાયેલા 21 કેસ કરતા શનિવારના આંકમાં વધારો થયો છે. રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 8,35,188 છે. શનિવારના રોજ કોવિડ 19ને કારણે કોઈ નવું મૃત્યુ નોંધાયું ન હતું અને મૃત્યુની સંખ્યા 10,090 છે. આ 37 નવા કેસમાંથી અમદાવાદમાં 10 કેસ, સુરતમાં આઠ અને વડોદરામાં છ કેસ નોંધાયા છે.

એક્ટિવ કેસની સંખ્યા પર નજર કરીએ તો, અમદાવાદ, સુરત અને વડોદરામાં અનુક્રમે 59, 19 અને 47 છે. આ સાથે સરખામણીની રીતે વધુ એક્ટિવ કેસ ધરાવતો અન્ય જિલ્લો વલસાડ છે, જ્યાં શનિવારના રોજ 4 નવા કેસ નોંધાયા હતા, હાલ વલસાડમાં 31 સક્રિય કેસ છે. શનિવારના રોજ નોંધાયેલા અન્ય નવા કેસ નવસારીના 4 કેસ છે, તો બનાસકાંઠા, ગીર સોમનાથ, મહેસાણા, પંચમહાલ અને તાપીમાંથી એક-એક કેસ નોધાયો છે.

English summary
If you have not taken the second dose of Corona vaccine, you cannot visit a public place.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X