વડોદરા ખાતે ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાઈ!
વડોદરામાં યુવાનોને રોજગારી અને સ્વરોજગારીની તક મળે તે માટે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર શિબિર યોજવામાં આવી હતી. આ શિબિરમાં વડોદરા શહેરના ૧૩ નામાંકીત નોકરીદાતાઓ હાજર રહ્યા હતા.
વડોદરામાં યુવાનોને રોજગારી અને સ્વરોજગારીની તક મળે તે માટે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર શિબિર યોજવામાં આવી હતી. આ શિબિરમાં વડોદરા શહેરના ૧૩ નામાંકીત નોકરીદાતાઓ હાજર રહ્યા હતા. ભરતી મેળામા ૧૮ થી ૩૫ વયજૂથના ૧૨ પાસ, આઈ.ટી.આઈ, ડીપ્લોમા, ગ્રેજ્યૂએટ અને માસ્ટર લાયકાત ધરાવતા ઉમેદવારોને ભાગ લીધો હતો. જેમાં કુલ ૫૩૧ જેટલી ટેકનીકલ તથા નોન ટેકનીકલ જગ્યા માટે ૧૫૦ થી વધુ ઉમેદવારોએ ઈન્ટરવ્યુ પ્રક્રીયામા ભાગ લીધો હતો. ૧૨૬ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામા આવી અને ૧૦ થી ૨૦ હજાર સુધીના પગાર ઓફર કરવામા આવ્યા હતા.

આ ભરતીમેળામાં ઉપસ્થિત ઉમેદવારોને સ્વરોજગારલક્ષી વિવિધ તાલીમ કોર્ષ તેમજ યોજનાઓની લોન સહાય અંગે માર્ગદર્શન આપવામા આવ્યું હતું. જિલ્લા રોજગાર કચેરી દ્વારા આ ભરતી મેળામા આવેલ ઉમેદવારોને આગામી દિવસોમાં ઘેર બેઠા રોજગારીની તકોનો લાભ લેવા માટે અનુબંધમ પોર્ટલ પર અને નેશનલ કેરિયર સેન્ટર પર રજીસ્ટ્રેશન કરવા માટે જણાવાયું હતું. આ સાથે રોજગારની તકો વિશે માર્ગદર્શન આપવા હેતુ ચલવવામાં આવતી રોજગાર સેતુ હેલ્પલાઇન પણ ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી અગ્નિવીર યોજનાની ભરતી માટે ૩૦ દિવસની નિવાસી તાલીમમાં વધુ માં વધુ યુવાનોને જોડાય તથા વિદેશમાં અભ્યાસ તેમજ રોજગાર મેળવવા ઈચ્છુક ઉમેદવારોને વિદેશ જતા પહેલા વિના મુલ્યે ઓવરસીસ માર્ગદર્શન મેળવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા






Click it and Unblock the Notifications
