તસવીરોમાં જુઓ કેવી રીતે બ્રિટનમાં છવાઇ ગયા નરેન્દ્ર મોદી
ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના પહેલા યુકે પ્રવાસ અંતર્ગત લંડન પહોંચ્યા. અહીં તેમનો પહેલો દિવસ ખૂબ જ વ્યસ્ત રહ્યો. એરપોર્ટ પર ભારતીય મૂળના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. તો વળી બ્રિટનની સંસદની બહાર તેમનો વિરોધ પણ થયો. 9 બિલિયન પોન્ડના કરાર પણ થયા અને ભારતમાં વધી રહેલી અસિહષ્ણુતા પર મોદીને સવાલ પણ પૂછવામાં આવ્યા.
પણ આ બધાની વચ્ચે એક વસ્તુ ખાસ જોવા મળી કે પીએમ મોદી બ્રિટનમાં તેવી ધણી વસ્તુઓ કરી જે આજ પહેલા ભારતના કોઇ વડાપ્રધાન કરી હોય. જેમ કે બ્રિટનની સાંસદને સંબોધિત કરવી, ત્યાંની મહારાણી જોડે લંચ લેવું. એટલું જ નહીં બ્રિટનની ઐતિહાસિક ઇમારતોને પણ મોદીના સ્વાગતમાં ત્રણ રંગોની રોશની સજાવામાં આવી હતી. જે સ્પષ્ટ કરતું હતું કે નમો ફરી એક વાર વિદેશ પ્રવાસમાં છવાઇ ગયા.
નોંધનીય છે કે મોદી લંડનમાં બ્રિટિશ પીએમ ડેવિડ કેમરુનના અધિકૃત નિવાસસ્થાન ચેકર્સમાં રોકાયા છે જેને વર્ષ 2008માં તે સમયના બ્રિટિશ પીએમ ટોની બ્લેયરે ખરીદ્યું હતું. ત્યારે નરેન્દ્ર મોદી તેમના આ બ્રિટિશ પ્રવાસ દરમિયાન કેવી રીતે છવાઇ ગયા તે વિષે વધુ જાણો નીચેના ફોટોસ્લાઇડરમાં...
લંડન પહોંચ્યા મોદી
પીએમ નરેન્દ્ર મોદી ગુરુવારે બ્રિટનના હીથ્રો એરપોર્ટ પર પહોંચ્યા. બ્રિટનના વિદેશ મંત્રી હ્યુગો સ્વાયર તેમનું અહીં સ્વાગત કર્યું. વધુમાં ભારતીય મૂળના બ્રિટિશ મંત્રી પ્રિતિ પટેલ પણ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું.
ભારતીયોમાં જબદસ્ત ઉત્સાહ
10 વર્ષ પછી કોઇ ભારતીય પીએમ બ્રિટનની મુલાકાત પર આવ્યા હતા. જેના કારણે ભારતીય સમુદાયના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
ગાર્ડ ઓફ ઓનર
તે બાદ પીએમ મોદીને કિંગ્સ ચાર્લ્સ સ્ટ્રીટ પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. અને જે બાદ બ્રિટિશ વડાપ્રધાન ડેવિડ કેમરુને તેમનું સ્વાગત કર્યું.
ગાર્ડ ઓફ ઓનર
તે બાદ પીએમ મોદીને કિંગ્સ ચાર્લ્સ સ્ટ્રીટ પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. અને જે બાદ બ્રિટિશ વડાપ્રધાન ડેવિડ કેમરુને તેમનું સ્વાગત કર્યું.
રેડ એરોની પર્ફોરમન્સ
પીએમ મોદીના સન્માનમાં રોયલ એરફોર્સેની રેડ એરો ટીમે બિગ બેનની ઉપરથી ફ્લાઇટપાસ્ટ કરી હતી. અને ત્રીરંગાના રંગો આકાશમાં બતાવ્યા હતા.
10 ડાઉનિંગ સ્ટ્રીટ
જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રિપક્ષીય વાર્તા માટે પીએમ કેમરૂનના અધિકૃત નિવાસ 10 ડાઉનિંગ સ્ટ્રીટ પહોંચ્યા.
અસૈન્ય પરમાણુ કરાર
પીએમ મોદી અને કેમરૂને ગુરુવારે અસૈન્ય પરમાણુ કરાર પર હસ્તાક્ષર કર્યા.પાછલા પાંચ વર્ષના વાર્તાલાપ પછી જ્યારે આ કરાર પર હસ્તાક્ષર થયા ત્યારે મોદીએ કહ્યું કે આ કરાર બન્ને દેશો વચ્ચેના વિશ્વાસનું પ્રતિક છે.
અસિહષ્ણુતા પર જવાબ
આ દરમિયાન જ્યારે બ્રિટિશ મીડિયાએ પીએમ મોદી પર વધી રહેલા સાંપ્રદાયિક તનાવ અંગે સવાલ કર્યો ત્યારે મોદીએ કહ્યું કે ભારત ગાંધી અને ભગવાન બુદ્ધની ધરતી છે અને અહીં અસહિષ્ણુતા શાંખી લેવામાં નહીં આવે.
અસિહષ્ણુતા પર જવાબ
આ દરમિયાન જ્યારે બ્રિટિશ મીડિયાએ પીએમ મોદી પર વધી રહેલા સાંપ્રદાયિક તનાવ અંગે સવાલ કર્યો ત્યારે મોદીએ કહ્યું કે ભારત ગાંધી અને ભગવાન બુદ્ધની ધરતી છે અને અહીં અસહિષ્ણુતા શાંખી લેવામાં નહીં આવે.
મોદીએ શું કહ્યું
મોદીએ કહ્યું કે ભારત એક લોકતંત્ર દેશ છે. અહીં અભિવ્યક્તિની આઝાદી માટે અમે પ્રતિબદ્ધ છીએ. અને એમ એક અસહિષ્ણુ સમાજ નથી.
મહાત્મા ગાંધીને શ્રદ્ધાજંલિ
આ દરમિયાન પીએમ મોદીએ બ્રિટનની સંસદમાં સ્થિત મહાત્મા ગાંધીને પ્રતિમાની પણ મુલાકાત લીધી હતી અને શ્રદ્ધાજંલિ અર્પિત કરી હતી.
સંસદમાં ભાષણ
પીએમ મોદીએ લંડન બ્રિઝ પર કેટલોક સમય પસાર કરીને બ્રિટિશ સંસદના બન્ને સદનોને સંબોધિત કર્યું હતું.