કેન્યામાં ગોળીબારઃ એક ગુજરાતી સહિત 39ના મોત
આતંકીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા સમયે અંદાજે 1000 જેટલા લોકો મૉલમાં હાજર હતા. કેન્યાના રાષ્ટ્રપતિએ આ વાતની પૃષ્ટિ કરી છે કે નૈરોબીના આતંકી હુમલામાં 39 લોકોનો મોત નીપજ્યાં છે.
રાષ્ટ્રપતિ ઉહુરુ કેન્યાતાએ કહ્યું કે, આ કાયર હુમલામાં તેમણે પરિવારના નજીકના સભ્યો ગુમાવી દીધા છે. કેન્યાતાએ કહ્યું કે, સેંકડો લોકોએ મૉલને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, સુરક્ષાદળ આ હુમલાનો કડકાઇથી જવાબ આપશે. રાષ્ટ્રપતિએ તેને પડકારજનક અભિયાન ગણાવ્યું છે અને કહ્યું કે, પહેલી પ્રાથમિકતા આ લોકોને સુરક્ષિત બચાવવાની છે, તેમણે હુમલાખોરોએ પણ હજુ બંધક બનાવી રાખ્યા છે.
અલકાયદા સાથે જોડાયેલા આતંકી સમૂહ અલ શબાબે હુમલાની જવાબદારી લીધી છે. ઘણા પ્રત્ક્ષદર્શીઓએ જણાવ્યું કે, આતંકવાદીઓએ લોકોને પૂછ્યુ કે તેમા કોણ મુસ્લિમ છે અને કોણ મુસ્લિમ નથી. જે લોકોએ પોતાને મુસ્લિમ ગણાવ્યા તેમને છોડી દેવામાં આવ્યા અને ગેર મુસ્લિમોને બંધક બનાવી રાખ્યા છે.
આતંકી સંગઠનના હુમલે જવાબદારી આપી છે, આ 2011માં કેન્યન દળો દ્વારા સોમાલિયામાં ઘુસીને ચલાવવામાં આવેલા અભિયાનનો જવાબ છે. આ ગ્રુપે આવા વધુ હુમલાની ધમકી આપી છે.
માર્યા ગયેલા લોકોમાં અન્ય વિદેશી નાગરીક પણ હોઇ શકે છે, એવા સમાચારો છે કે, હુમલામાં અમેરિકન નાગરીક ઇજાગ્રસ્ત થયા છે, પરંતુ અમેરિકા વિદેશ વિભાગે કહ્યું કે, તેમની પાસે કોઇ માહિતી નથી.
મૉલ પર હુમલો કરતા આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યા અને રાઇફલ્સથી ગોળીબાર કર્યો. મૉલમાં દરેક બાજૂ લોહી વહેલું હતું અને મહિલાઓ પોતાના બાળકોને ખોળામાં લઇને બૂમો પાડતી જોવા મળી રહી હતી. વિશેષ દળોની બે ટૂકડીઓ આતંકવાદીઓ સાથે બાથ ભીડવા માટે મોકલી છે.