કાબુલ હુમલા પર ભારત વિદેશ મંત્રાલયે દુઃખ વ્યક્ત કર્યું
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શનિવારે થયેલા આંતકવાદી હુમલા પર ભારતે દુઃખ વ્યક્ત કર્યું હતું. આ હુમલામાં 95 લોકોના મોત અને 151થી પણ વધારે લોકો ઘાયલ થયા હતા.
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શનિવારે થયેલા આંતકવાદી હુમલા પર ભારતે દુઃખ વ્યક્ત કર્યું હતું. આ હુમલામાં 95 લોકોના મોત અને 151થી પણ વધારે લોકો ઘાયલ થયા હતા. અફઘાનિસ્તાન સરકારના જણાવ્યા અનુસાર આ હુમલાની પાછળ હક્કાની નેટવર્કનો હાથ હતો. આ ઘટના પર ભારતીય વિદેશ મંત્રાલયે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે, આ ખરાબ સમયમાં અમે અફઘાનિસ્તાનની સરકાર અને ત્યાંના લોકોની સાથે છીએ. જે લોકો આ હુમલામાં ઘાયલ થયા છે તેઓ જલ્દીથી ઠીક થઈ જાય તેવી પ્રાર્થના કરીએ છીએ.
ઉલ્લેખનીય છે કે, શનિવારે કાબુલમાં થયેલ આતંકવાદી હુમલો આ વર્ષનો સૌથી મોટો હુમલો હતો. આ આતંકી હુમલાથી સમગ્ર અફઘાનિસ્તાનને આંચકો લાગ્યો છે. આતંકવાદીઓએ એક એમ્બ્યુલન્સમાં બોમ્બ મુક્યો હતો. જે સ્થળે આ હુમલો થયો હતો તે રસ્તા પર અનેક દુતાવાસ અને સરકારી ઓફિસો આવેલી છે. છેલ્લા ઘણા સમયથી તાલિબાન અને હક્કા નેટવર્ક અફઘાનિસ્તાનના સુરક્ષા દળો અને સામાન્ય લોકોને નિશાનો બનાવી રહી છે.