UNમાં ભારતે પાકિસ્તાનની કરી બોલતી બંધ, જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા આપ્યો જડબાતોડ જવાબ
સંયુક્ત રાષ્ટ્રના 75 વર્ષ પૂરા થવા પર આયોજિત વિશેષ કાર્યક્રમમાં પાકિસ્તાન માટે જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનુ મોંઘુ સાબિત થઈ ગયુ.
ન્યૂયોર્કઃ સંયુક્ત રાષ્ટ્રના 75 વર્ષ પૂરા થવા પર આયોજિત વિશેષ કાર્યક્રમમાં પાકિસ્તાન માટે જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનુ મોંઘુ સાબિત થઈ ગયુ અને ભારતે આના જવાબમાં આતકવાદનો મુદ્દો ઉઠાવીને પાકિસ્તાનની બોલતી બંધ કરી દીધી. ભારતે કહ્યુ કે પાકિસ્તાન 'આતંકવાદનો ગઢ' છે. સાથે જ ભારતે પાકિસ્તાનને આતંકીઓને 'શરણ આપનાર' પણ ગણાવ્યુ. ભારત તરફથી કહેવામાં આવ્યુ કે આ એક એવો દેશ છે જ્યાં આતંક ફેલાવનારાને પ્રશિક્ષણ અને શહીદનો પણ દરજ્જો આપવામાં આવે છે.

લઘુમતીઓ સાથે અત્યાચાર
આ સાથે જ ભારતે કહ્યુ કે પાકિસ્તાનમાં લઘુમતીઓ સાથે અત્યાચાર સતત વધી રહ્યો છે. વાસ્તવમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારબાદ ભારતે જવાબ આપવાના અધિકાર હેઠળ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રથમ સચિવ વિદિશા મૈત્રાએ કહ્યુ કે હું જવાબ આપવાના અધિકાર હેઠળ પાકિસ્તાનના પ્રતિનિધિએ જે નિવેદન આપ્યુ છે તેનો જવાબ આપુ છુ. તેમણે પાકિસ્તાન વિશે કહ્યુ કે તે આ રીતના મંચનો ઉપયોગ ખોટા આરોપ લગાવવા માટે કરતા રહે છે. પાકિસ્તાની પ્રતિનિધિનો આ વિચાર ભારતના આંતરિક મામલામાં કયારેય ખતમ ન થનાર મનઘડંત વિચાર છે.

જમ્મુ કાશ્મીર ભારતનુ અભિન્ન અંગ
તેમણે જમ્મુ કાશ્મીરને ભારતનુ અભિન્ન અંગ ગણાવીને કહ્યુ કે ભારત કુરેશીના આ દૂર્ભાગ્યપૂર્ણ નિવેદનને ફગાવે છે. તેમણે એ પણ કહ્યુ કે સંયુક્ત રાષ્ટ્રનો જે એજન્ડા પૂરો નથી થયો તે આતંકવાદ સામે લડવાનો છે.

આતંકવાદ જેવા મુદ્દા પર ધ્યાન આપવાની જરૂર
મૈત્રીએ કહ્યુ કે આખી દુનિયામાં પાકિસ્તાન જ એવો દેશ છે જ્યાં આતંકવાદના કેન્દ્ર તરીકે વિખ્યાત છે. જે ખુદ એ વાત સ્વીકારી ચૂક્યુ છે કે તે આતંકીઓને પોતાને ત્યાં શરણ જ નહિ પરંતુ પ્રશિક્ષણ પણ આપે છે અને તેમને શહીદનો દરજ્જો પણ આપે છે. તે લઘુમતીઓ પર અત્યાચાર કરે છે. આ સાથે જ તેમણે કહ્યુ કે આ રીતના મંચનો ખોટો ઉપયોગ કરીને ધ્યાન ભટકાવવાના બદલે આતંકવાદ જેવા મુદ્દા પર ધ્યાન આપવાની જરૂર છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
