60 યાત્રીઓથી ભરાયેલું ઈરાન યાત્રી વિમાન ક્રેશ થયું, બધા ની મૌત
ઈરાનમાં મોટી વિમાન દુર્ઘટના ઘટી છે. ઈરાનનું યાત્રી વિમાન રડાર થી ગાયબ થયા પછી ક્રેશ થઇ ગયું છે. જાણકારી અનુસાર આ વિમાનમાં કુલ 66 લોકો મુસાફરી કરી રહ્યા હતા.
ઈરાનમાં મોટી વિમાન દુર્ઘટના ઘટી છે. ઈરાનનું યાત્રી વિમાન રડાર થી ગાયબ થયા પછી ક્રેશ થઇ ગયું છે. જાણકારી અનુસાર આ વિમાનમાં કુલ 66 લોકો મુસાફરી કરી રહ્યા હતા. આ વિમાન તહેરાન થી યુસૂઝ જઈ રહ્યું હતું. મળતી માહિતી અનુસાર આ વિમાન પહાડી વિસ્તારના સેમીરોમ પાસે ક્રેશ થયું છે. ન્યુઝ એજેન્સી આઇએસએનએ પ્રવક્તા મોજતબા ખાલીદી ઘ્વારા આપવામાં આવેલા નિવેધન ઘ્વારા આ જાણકારી મળી છે. ત્યાં જ ઈરાનની સરકારી ન્યુઝ એજેન્સી પ્રેસ ટીવી અનુસાર અસેમાન એરલાઇન્સના વિમાનમાં 60 યાત્રી અને 6 વિમાન મેમ્બર સવારી કરી રહ્યા હતા.
સ્થાનીય મીડિયા રિપોર્ટર અનુસાર આ વિમાને જયારે ઉડાન ભરી તેના 20 મિનિટ પછી જ રડારથી ગાયબ થઇ ગયું. વિમાને સ્થાનીય સમય અનુસાર સવારે 5 વાગ્યે ઉડાન ભરી હતી. નજરે જોનાર અનુસાર સ્થાનીય મીડિયાને જણાવ્યું કે આ વિમાન ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો પ્રત્યન કરી રહ્યું હતું તેવામાં ક્રેશ થઇ ગયું. જે જગ્યા પર આ ઘટના ઘટી છે તે મધ્ય ઈસફહાન ના સેમીરોમ માં આવેલું છે. ખરાબ મોસમના કારણે હેલીકૉપટરને તત્કાલ મદદ માટે પણ નથી મોકલી શકાયું.
મળતી માહિતી અનુસાર જે જગ્યા પર આ દુર્ઘટના ધટી છે ત્યાં એમ્બ્યુલન્સ પણ મોકલી શક્યું સંભવ નથી. જેના કારણે હેલીકૉપટર ઘ્વારા મદદ મોકલવામાં આવી રહી છે. આપણે જણાવી દઈએ કે અસેમાન એરલાઇન્સની આ ત્રીજી સૌથી મોટું વિમાન છે જે મુખ્યરૂપ થી ઈરાનની રાજધાની તહેરાનથી ચાલે છે.