For Daily Alerts
વેટિકન સીટીમાં મધર ટેરેસાને સંતની ઉપાધિ અપાઇ...
મધર ટેરેસા હવે સંત ટેરેસા બની ચુકી છે. વેટિકન સીટીના સેન્ટ પીટર સ્કેવેરના રોમન કેથેલિક ચર્ચના પૉપ ફ્રાન્સિસએ મધર ટેરેસાને સંતની ઉપાધિ આપી છે. ભારત સરકાર તરફથી વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ જાતે આ પળની સાક્ષી બની. તેની સાથે સાથે બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ તે સમય હાજર રહ્યા.
વેટિકન સિટીમાં ભારત રત્ન મધર ટેરેસાને સંતની ઉપાધિ આપવામાં આવી. કૈથોલિક ઇસાઇયોંના સૌથી મોટા ધર્મગુરુ પોપ ફ્રાંસિસે આ મામલે એલાન કર્યું હતું. હજારોની સંખ્યામાં લોકો વેટિકન સિટી યોજાનાર આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે.
કોણ હતી મધર ટેરેસા
- મધર ટેરેસાનો જન્મ 26 ઓગષ્ટ 1910માં અલ્બાનીયામાં થયો હતો.
- 1928 માં તેઓ નન બન્યા હતા.
- નન બન્યા પછી લોકો તેમને સિસ્ટર ટેરેસાના નામથી બોલાવવા લાગ્યા.
- નોબલ પુરસ્કાર વિજેતા મધર ટેરેસાએ 1950માં મિશનરી ઓફ ચેરેટીની સ્થાપનાં કરી. જે અત્યારે 133 દેશોમાં કામ કરે છે.
- 5 સપ્ટેમ્બર 1997માં મધર ટેરેસાનું નિધન થયું હતું.
Comments
mother teresa pope francis vatican arvind kejriwal sushma swaraj mamta benerjee મધર ટેરેસા સુષ્મા સ્વરાજ અરવિંદ કેજરીવાલ મમતા બેનર્જી વેટિકન
English summary
Mother Teresa declared saint by Pope Francis at Vatican ceremony.
Story first published: Sunday, September 4, 2016, 15:41 [IST]