Pics: બે ભાઇઓ ખાતા હતા માનવ માંસ, ફટકારાઇ 12 વર્ષની સજા!
લાહોર, 12 જૂન: પાકિસ્તાનના એક આતંકવાદ નિરોધક કોર્ટે બુધવારે માનવ માંસ ખાવાના મામલામાં બે ભાઇઓને 12 વર્ષની સશ્રમ કેદની સજા સંભળાવી છે. આ બંને આ પહેલા 2011માં માંસ ખાવાના મામલામાં બે વર્ષની સજા કાપી ચૂક્યા છે.
પંજાબ પ્રાંતના સરગોધા જિલ્લાની આતંકવાદ નિરોધક કોર્ટે એપ્રિલમાં તેમના ગિરફ્તાર થવાના બે મહીના બાદ ચૂકાદો આપ્યો છે. મોહમ્મદ આફિસ(35) અને ફરમાન અલી (30) મિયાંવાલી જિલ્લા જેલમાં પોતાની સજા કાપશે.
તેઓ લાહોરથી નજીક 400 કિલોમીટર દૂર સ્થિત ભાખડ જિલ્લાના કસ્બા દરયા ખાનના રહેનારા છે. તેમને પોતાના ઘરમાં મૃત બાળકના માંસ ખાવા બદલ એપ્રિલમાં ફરીથી પકડવામાં આવ્યા હતા. બંને ભાઇઓ આ પહેલા પણ માનવ માંસ ખાવાના ગુનામાં બે વર્ષની સજા કાપી ચૂક્યા છે.
વધુ સમાચાર વાંચો સ્લાઇડરમાં..
પંજાબ પ્રાંતના સરગોધા જિલ્લાની ઘટના
પાકિસ્તાનના એક આતંકવાદ નિરોધક કોર્ટે બુધવારે માનવ માંસ ખાવાના મામલામાં બે ભાઇઓને 12 વર્ષની સશ્રમ કેદની સજા સંભળાવી છે. આ બંને આ પહેલા 2011માં માંસ ખાવાના મામલામાં બે વર્ષની સજા કાપી ચૂક્યા છે. પંજાબ પ્રાંતના સરગોધા જિલ્લાની આતંકવાદ નિરોધક કોર્ટે એપ્રિલમાં તેમના ગિરફ્તાર થવાના બે મહીના બાદ ચૂકાદો આપ્યો છે. મોહમ્મદ આફિસ(35) અને ફરમાન અલી (30) મિયાંવાલી જિલ્લા જેલમાં પોતાની સજા કાપશે.
પોતાના ઘરમાં મૃત બાળકના માંસને ખાઇ રહ્યા હતા
તેઓ લાહોરથી નજીક 400 કિલોમીટર દૂર સ્થિત ભાખડ જિલ્લાના કસ્બા દરયા ખાનના રહેનારા છે. તેમને પોતાના ઘરમાં મૃત બાળકના માંસ ખાવા બદલ એપ્રિલમાં ફરીથી પકડવામાં આવ્યા હતા. બંને ભાઇઓ આ પહેલા પણ માનવ માંસ ખાવાના ગુનામાં બે વર્ષની સજા કાપી ચૂક્યા છે. પોલીસ અનુસાર, બંને ભાઇઓએ 2011માં સ્થાનીય કબ્રસ્તાનમાં સોથી વધારે હાજપિંજર બહાર કાઢ્યા હતા અને તેમનું માંસ ખાધું હતું. પડોશિયો દ્વારા ફરિયાદ કરવા પર તેમને ગિરફ્તાર કરવામાં આવ્યા હતા.
પાકિસ્તાનમાં નરભક્ષિઓ સંબંધિત કોઇ કાનૂન નથી
જોકે પાકિસ્તાનમાં નરભક્ષિઓ સંબંધિત કોઇ કાનૂન નથી. ભાઇઓને એ સમયે કબર ખોદવા માટે દોષી ઠેરવામાં આવ્યા હતા. તેમને મે 2013માં છોડવામાં આવ્યા હતા, પરંતુ તેઓ માનવ માંસ ખાવાના ગુનામાં ફરી પકડાયા છે.
લોકોમાં ભય અને અસુરક્ષાનો ભાવ
બંને ભાઇઓ પરણિત છે, પરંતુ તેમના નરભક્ષી હોવાની વાત સામે આવતા તેમની પત્નીઓએ તેમને છોડી દીધા છે. પોલીસે બંનેને આતંકવાદ નિરોધક કાનૂન અતંર્ગત ધરપકડ કરીને તેમના કૃત્યોને લોકોમાં ભય અને અસુરક્ષાનો ભાવ પેદા કરી હોવાનું જણાવ્યું છે.