ઈમરાન ખાનનો શપથગ્રહણ મુશ્કેલીમાં, બે સીટોના પરિણામો અટકાવાયા
પાકિસ્તાનના ચૂંટણી આયોગે મંગળવારે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) ના પ્રમુખ ઈમરાન ખાનની બે સીટો પર જીતની અધિસૂચના અટકાવી દીધી છે.
પાકિસ્તાનના ચૂંટણી આયોગે મંગળવારે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) ના પ્રમુખ ઈમરાન ખાનની બે સીટો પર જીતની અધિસૂચના અટકાવી દીધી છે. ચૂંટણી આયોગના આ નિર્ણયથી ઈમરાના ખાનનો શપથગ્રહણ અટક્યો છે. 25 જુલાઈના રોજ પાકિસ્તાનમાં થયેલ ચૂંટણી બાદ ઈમરાનનો પક્ષ સૌથી મોટા પક્ષ તરીકે સામે આવ્યો છે સોમવારે પક્ષે ઈમરાન ખાને પોતાના સંસદીય દળના નેતા ઘોષિત કરી દીધા.
ઈસ્લામાબાદ અને લાહોરની સીટ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈમરાન ખાનની ત્રણ સીટો પર જીતની અધિસૂચના જારી કરી દેવામાં આવી છે પરંતુ ચૂંટણી આયોગને આચાર સંહિતાના ઉલ્લંઘનના કારણે નિર્ણય લેવામાં મોડુ થઈ રહ્યુ છે. 65 વર્ષીય ઈમરાને પાંચ સીટો પર ચૂંટણી લડી હતી અને બધી સીટો પર જીત મેળવી છે. ચૂંટણી આયોગે ઈસ્લામાબાદની એનએ-53 અને લાહોરની એનએ-131 સીટ પર આવેલા પરિણામોની સૂચના જારી કરવા પર રોક લગાવી દીધી છે. એનએ-53 થી ઈમરાને પૂર્વ પાક પીએમ શાહિદ ખાકન અબ્બાસીને મ્હાત આપી છે. ઈમરાનને આ સીટ પર 92,891 મત મળ્યા હતા જ્યારે અબ્બાસીને 44,314 મત મળ્યા હતા. ચૂંટણી આયોગે ઈમરાન સામે નોંધાયેલ આચાર સંહિતાના ઉલ્લંઘન સાથે જોડાયેલા કેસની સુનાવણી કરવાની છે. આના કારણે પરિણામો પર રોક લગાવી દેવામાં આવી છે.
પૂર્વ રેલ મંત્રીને દાખલ કરી યાચિકા
લાહોરની
એનએ-131
સીટ
પર
ઈમરાનનો
મુકાબલો
પાકિસ્તાનના
મુસ્લિમ
લીગ-
નવાઝના
નેતા
અને
પાકના
પૂર્વ
રેલ
મંત્રી
ખ્વાજા
સાદ
રફીક
સાથે
હતો.
રફીકે
ઈમરાનને
આકરી
ટક્કર
પણ
આપી
હતી.
એનએ-131
સીટ
પર
ઈમરાનની
જીતની
સૂચના
ટાળી
દેવામાં
આવી
છે
કારણકે
લાહોર
હાઈકોર્ટમાં
રફીકે
યાચિરા
દાખલ
કરી
હતી.
આ
યાચિકામાં
તેમણે
આ
સીટ
પર
મતનો
ગણતરી
ફરીથી
કરવાની
માંગ
કરી
હતી.
બાનુની
એનએ-35,
મિયાંવાલીની
એનએ-95
અને
કરાંચી
ઈસ્ટની
એનએ-243
પર
ઈમરાનની
જીતનો
વિષય
પમ
આચાર
સંહિતાના
ઉલ્લંઘન
મામલે
ચૂંટણી
આયોગના
અંતિમ
નિર્ણય
પર
થશે.
આ
પહેલા
કેટલાક
મીડિયા
રિપોર્ટ્સમાં
કહેવામાં
આવ્યુ
હતુ
કે
ચૂંટણી
આયોગે
તે
બધી
પાંચ
સીટોના
પરિણામો
પર
રોક
લગાવી
દીધી
છે.
જો
કે
બાદમાં
આના
પર
સ્પષ્ટીકરણ
કરવામાં
આવ્યુ
અને
માત્ર
બે
સીટેના
પરિણામો
પર
રોક
લગાવવામાં
આવી
છે.