UNમાં ભારતે કહ્યું પાક. આતંકવાદને "મહેમાન" જેમ સાચવે છે!
બુધવારે સંયુક્ત રાષ્ટ્રસંધ મહાસભા (ઉંગા)માં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે એક વાર ફરી ભારત પર આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવ્યો. જેના વળતા જવાબમાં ભારતે પણ દુનિયાની સામે પાકિસ્તાનની પોલ ખોલી દીધી. ભારતે સાફ શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાન તે દેશ છે જે આંતકવાદને મહેમાનની જેમ છાવરે છે. ત્યારે ભારતે પોતાના સંદેશમાં શું કહ્યું વાંચો અહીં...
UNGA: પાક.ની નાપાક બોલી પર ભારત કહ્યું પાક. છે 'આતંકી રાજ્ય'
પ્રોક્સીવોર ચલાવે છે પાક.
નવાઝ શરીફના ભાષણનું ભારતે મહાસભામાં જોરદાર ખંડન કરતા ભારતના ડિપ્લોમેટ એનામ ગંભીર એક નિવેદન જાહેર કર્યું છે. જેમાં તેમણે કહ્યું કે પાકિસ્તાન બિલિયન ડોલર આતંકી સંગઠનોને મદદ કરવા પાછળ ખર્ચે છે.
આતંકીઓને ટ્રેનિંગ
આ રૂપિયા પાકિસ્તાનને આંતરાષ્ટ્રિય સહાયના રૂપે આતંકવાદને નાથવા માટે મળે છે. પણ પાકિસ્તાન તેનો ઉપયોગ આંતકીઓને ટ્રેનિંગ આપવા અને પડોશી રાષ્ટ્રમાં પ્રોક્સી વાર કરાવવા માટે વાપરે છે.
આતંકવાદનું ગઢ
ગંભીરના કહેવા તક્ષશિલાની જમીન જે પ્રાચીન સમયે એક શિક્ષણનું મોટું કેન્દ્ર હતી તે હવે આતંકવાદનું ગઢ બની ચૂકી છે. આજે પાકિસ્તાન આતંકવાદને શીખવા અને તેને ફેલાવવાવાળાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. અને તેના આ જહેરની અસર દુનિયાભરમાં થઇ રહી છે.
મોટો ખતરો
વધુમાં ગંભીરે જણાવ્યું કે સરકાર અને એથોરિટીઝની મદદથી અનેક આતંકી સંસ્થા ખુલ્લેઆમ પૈસા ભેગા કરી રહી છે. જેના કારણે ભારત જેવા દેશો તેનો ખરાબ પ્રભાવ ભોગવી રહ્યા છે.