For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈન્ડોનેશિયા બાદ મલેશિયા માટે રવાના થયા પ્રધાનમંત્રી મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈન્ડોનેશિયાની યાત્રા બાદ મલેશિયાની રાજધાની કુઆલાલંપુર માટે રવાના થઈ ગયા છે. પીએમ પોતાના ત્રણ દેશોની યાત્રાના બીજા પડાવમાં અહીં પહોંચ્યા છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈન્ડોનેશિયાની યાત્રા બાદ મલેશિયાની રાજધાની કુઆલાલંપુર માટે રવાના થઈ ગયા છે. પીએમ પોતાના ત્રણ દેશોની યાત્રાના બીજા પડાવમાં અહીં પહોંચ્યા છે. તે ઈન્ડોનેશિયાની રાજધાની જાકાર્તાથી મલેશિયા માટે રવાના થઈ ગયા છે. મલેશિયામાં પોતાની યાત્રા દરમિયાન પીએમ મોદી મલેશિયાના નવનિર્વાચિત પ્રધાનમંત્રી મહથીર મોહમ્મદ સાથે પટાયામાં મુલાકાત કરશે કે જે કુઆલાલંપુરથી લગભગ 30 કિલોમીટર દૂર છે.

pm modi

10 મે ના રોજ મહથીરની પાર્ટી પકતાન હરપડ પાર્ટી (ઉમ્મીદનું ગઠબંધન) એ બૈરિસન નસિઓનલ ગઠબંધનને હરાવી હતી, જેનું મલેશિયા પર આઝાદી બાદ 61 વર્ષથી રાજ હતુ. તેમણે મલેશિયાની સંસદમાં પૂર્ણ બહુમતની સરકાર બનાવવામાં સફળતા મેળવી. 222 સીટોમાંથી તેમની પાર્ટીને 122 સીટો પર જીત મળી. 2015 બાદ પીએમ મોદીની આ બીજી મલેશિયા યાત્રા છે. ભારત અને મલેશિયા વચ્ચે ઘણો ઐતિહાસિક સંબંધ છે, મલેશિયા ભારતીયોનો લાંબા સમય સુધી ગઢ રહ્યો છે. અહીં કુલ 7 ટકા અપ્રવાસી ભારતીય રહે છે. વેપારની દ્રષ્ટિએ જોઈએ તો બંને દેશો વચ્ચે 10.5 બિલિયન યુએસ ડૉલરનો બિઝનેસ 2017 માં થયો કે જે 2020 સુધી 25 બિલિયન ડૉલર સુધી પહોંચી શકે છે. પ્રધાનમંત્રી મોદી મલેશિયા બાદ સિંગાપોર માટે રવાના થશે. અહીં તે હોટલ ફૂલર્ટનમાં રોકાશે.

English summary
pm modi leaves to malaysia on his three nation tour second leg
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X