ASEAN: 26 જાન્યુ.એ આસિયાન દેશના નેતાઓને ભારતનું નિમંત્રણ
પીએમ નરેન્દ્ર મોદીએ 15મી આસિયાન સમિટમાં સંબોધન કર્યું હતુંઅહીં તેમણે તમામ આસિયાન દેશના નેતાઓને ગણતંત્ર દિવસના પ્રસંગે ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું હતુંઆ અંગે વધુ વાંચો અહીં...
15મી ભારત-આસિયાન સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, ભારત ઇસ્ટ-એશિયા પોલિસી આસિયાનને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવી છે અને ભારતનું ઇન્ડો-પેસિફિક ક્ષેત્રિય સંગઠનનું મહત્વ ખૂબ સ્પષ્ટ છે. પીએમ મોદીએ 69માં ગણતંત્ર દિવસે આસિયાન દેશના નેતાઓને આમંત્રણ પણ પાઠવ્યું છે. તેમણે કહ્યું કે, 69મા ગણતંત્ર દિવસના પ્રસંગે ભારતના 1.25 કરોડો લોકો આસિયાન નેતાઓનું સ્વાગત કરવા માટે તૈયાર છે.
પોતાના ભાષણમાં આતંકવાદનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, આપણે સૌ આતંકવાદ સહન કર્યો છે. આ પડકારનો સામનો કરવાનો અને આની સામે લડાઇ લડવાનો સમય હવે આવી ગયો છે. તેમણે આગળ કહ્યું કે, 25 જાન્યુઆરી, 2018ના રોજ નવી દિલ્હીમાં ઇન્ડિયા-આસિયાન સ્પેશિયલ કમમેરેટિવ સમિટમાં આપ સૌનું સ્વાગત કરવા માટે ભારત ખૂબ ઉત્સુક છે. આપ સૌ સાથે કામ કરવા હું પ્રતિબદ્ધ છું.