For Quick Alerts
For Daily Alerts
રેડ એલર્ટ : ગુરૂ નાનક જયંતિને પગલે ભારતીયો પર તાલિબાનીઓનું જોખમ
આ અંગેની 27 નવેમ્બર, 2012ના રોજ કરવામાં આવેલી એક જાહેરાત અનુસાર તમામ સિખ ધાર્મિક સ્થળોએ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. પોલીસ દ્વારા આપવામાં આવેલા ખાસ સ્ટીકર સિવાયના વાહનોને આ સ્થળોએ પ્રવેશ મળી શકશે નહીં.
પાકિસ્તાનમાં લાહોરથી 80 કિલોમીટર દૂર આવેલા ગુરૂ નાનક સાહેબના જન્મસ્થળ નાનકાના સાહેબ ગુરુદ્વારા ખાતે જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે અંદાજે 2000 ભારતીયો પાકિસ્તાન ગયા છે. આ દરમિયાન તેઓ અન્ય સ્થળોની મુલાકાત પણ લેશે.
પાકિસ્તાન સત્તાવાળાઓએ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવા અંગે કોઇ ચોખવટ કરી નથી. પણ ઇન્ડિયના હાઇ કમિશનને પ્રાપ્ત માહિતી અનુસાર ભરતીયોને તહેરિક-એ-તાલિબાન પાકિસ્તાન દ્વારા ખતરો છે.
Comments
English summary
Red alert ahead of Guru Nanak Jayanti in wake of TTP threat.
Story first published: Wednesday, November 28, 2012, 11:06 [IST]