For Quick Alerts
For Daily Alerts
ઉંદરોમાં હોય છે યાદશક્તિ વધારવાના અણુ
અધ્યયનના વરિષ્ઠ લેખક અને સૈન ફ્રાન્સિસ્કો સ્થિત કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલયમાં જૈવિક રસાયણ અને જૈવ ભૌતિકીના પ્રોફેસર પીટર વાલ્ટરના મત અનુસાર, અણુ પર આ જૈવિક રસાયણ પ્રતિક્રિયા સ્મૃતિ-ક્ષમતા વધારવા માટે સંભવતઃ એક દિવસ માનવી પર પણ અજમાવવામાં આવશે.
અણુની શોધ અને ત્યારબાદ ઉંદરોમાં યાદશક્તિની તપાસના જે પરિણામ બહાર આવ્યા છે, તેને ઓનલાઇન વૈજ્ઞાનિક પત્રિકા ઇ લાઇફમાં 28 મેના રોજ પ્રકાશિત કરવામા આવ્યા છે. આ અધ્યયનમાં સામેલ એક સ્મૃતિ તપાસમાં સામાન્ય ઉંદરને સક્ષમ રસાયણનું ઇન્જેક્શન આપવામાં આવ્યુ હતું, ત્યારબાદ ડુબેલા પ્લેફોર્મને શોધવામાં આ ઉંદરે ત્રણ ગણી ઝડપ દેખાડી, જેની સરખામણીમાં અન્ય ઉંદરને રસાયણના ઇન્જેક્શનના સ્થાને અન્ય કંઇક આપવામાં આવ્યું હતું.
Comments
English summary
Scientists have identified a key memory enhancing molecule in mice that could pave the way for boosting cognitive functions in humans, says a study.