શ્રીલંકામાં કટોકટીની ઘોષણા, આર્થિક સંકટના કારણે થઈ રહ્યા છે હિંસક પ્રદર્શન
શ્રીલંકામાં આવેલ આર્થિક સંકટની સ્થિતિ એટલી હદે બગડી ગઈ છે કે ત્યાંના રાષ્ટ્રપતિ ગોટાભાયા રાજપક્ષેએ ઈમરજન્સીની ઘોષણા કરી દીધી છે.
કોલંબોઃ શ્રીલંકામાં આવેલ આર્થિક સંકટની સ્થિતિ એટલી હદે બગડી ગઈ છે કે ત્યાંના રાષ્ટ્રપતિ ગોટાભાયા રાજપક્ષેએ ઈમરજન્સીની ઘોષણા કરી દીધી છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિની આ ઘોષણા બાદ આ દેશમાં 1 એપ્રિલથી જ ઈમરજન્સી લાગુ થઈ ગઈ છે. શુક્રવારે મોડી રાતે રાજપક્ષે તરફથી આ ઘોષણા કરવામાં આવી છે.

શ્રીલંકાના રાષ્ટ્રપતિના આવાસ સુધી પહોંચ્યા પ્રદર્શનકારી
શ્રીલંકાઈ મીડિયા રિપોર્ટસ મુજબ રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી જાહેર કરેલી એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે રાષ્ટ્રપતિ રાજપક્ષેના આવાસ પાસે થયેલી હિંસામાં એક કટ્ટરપંથી સમૂહ શામેલ હતો. આ હિંસક પ્રદર્શનને લઈને ઘણા પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે. સ્થિતિની ગંભીરતાને સમજીને દેશમાં ઈમરજન્સીની ઘોષણા કરવામાં આવી રહી છે.
દેશમાં ઈંધણની ભારે કમી
તમને જણાવી દઈએ કે શ્રીલંકા હાલમાં ભારે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યુ છે. દેશમાં ઈંધણ સાથે-સાથે ઘણી જરુરી વસ્તુઓની ભારે તંગી છે. ઘણા કલાકો શ્રીલંકામાં હવે પાવર કટ થઈ રહ્યો છે. દેશમાં સ્થિતિ એવી છે કે કાગળની ઉણપના કારણે બધી પરીક્ષાઓને અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરવી પડી છે.
રાષ્ટ્ર્પતિ આવાસની બહાર થવા લાગ્યા હિંસક પ્રદર્શન
તમને જણાવી દઈએ કે આર્થિક સંકટ ઉભુ થવાના કારણે શ્રીલંકાના રાષ્ટ્રપતિ સામે જબરદસ્ત પ્રદર્શન થઈ રહ્યુ છે. ગુરુવારે તો આ પ્રદર્શને હિંસક રૂપ લઈ લીધુ અને રાષ્ટ્રપતિના આવાસ સુધી પ્રદર્શનકારીઓએ વિરોધ કરવાનુ શરુ કરી દીધુ. ગુરવારે રાષ્ટ્રપતિ આવાસની બહાર સેંકડો પ્રદર્શનકારીઓ જમા થયા અને હિંસક પ્રદર્શન કર્યુ. આ પ્રદર્શનકારીઓની એ માંગ હતી કે આર્થિક સંકટ માત્ર રાષ્ટ્રપતિની નિષ્ફળતાઓના કારણે ઉભુ થયુ છે. માટે તેમણે રાજીનામુ આપી દેવુ જોઈએ. આ માંગને લઈને પ્રદર્શનકારીઓનો વિરોધ વધ્યો અને આંદોલન હિંસક થઈ ગયુ.
હિંસક પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ આવાસ પાસે ઘણી ગાડીઓમાં આગ લગાવી દીધી. રાષ્ટ્રપતિના આવાસ પાસે લાગેલા સ્ટીલ અવરોધકને પાડી દીધા બાદ પ્રદર્શનકારીઓ પર પોલિસે અશ્રુ ગેસના ગોળા છોડ્યા અને પાણીનો મારો ચલાવ્યો. આ દરમિયાન ઘણાની ધરપકડ પણ થઈ. કોલંબો શહેરના મોટાભાગના હિસ્સાઓમાં અમુક સમય માટે કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
