For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાંગ્લાદેશમાં પહેલીવાર કોઇ હિન્દુ બન્યો મુખ્ય ન્યાયાધીશ

|
Google Oneindia Gujarati News

ઢાકા, 12 જાન્યુઆરી: ન્યાયમૂર્તિ સુરેન્દ્ર કુમાર સિન્હાને બાંગ્લાદેશના પ્રધાન ન્યાયાધીશ તરીકે વરણી કરવામાં આવી છે. તેઓ આ મુસ્લીમ દેશની સર્વોચ્ચ અદાલતમાં પહેલા હિન્દુ ન્યાયાધીશ છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ અબ્દુલ હામિદે શ્રેષ્ઠ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ સિન્હાને મુખ્ય ન્યાયાધીશ તરીકે વરાયા છે. તેમના કાર્યકાળ ત્રણ વર્ષથી થોડા વધારે સમય સુધીનું રહેશે. તેઓ દેશના પ્રધાન ન્યાયાધીશ બનનારા પહેલા બિન-મુસ્લિમ છે.

વિધિ મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 64 વર્ષીય સિન્હા 17 જાન્યુઆરીના રોજ આ કાર્યભાર સંભાળશે. તેઓ બાંગ્લાદેશના 21માં પ્રધાન ન્યાયાધીશ બનશે. હાલના પ્રધાન ન્યાયાધીશ મુઝમ્મિલ હુસૈન 16 જાન્યુઆરીના રોજ નિવૃત્ત થઇ રહ્યા છે. બાંગ્લાદેશમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની સેવાનિવૃત્તિની ઉંમર 67 વર્ષની છે. સિન્હા બંગબંધુ શેખ મુઝીબુર રહેમાનની હત્યા અને સંવિધાનના પાંચમાં અને 13માં સંશોધન સહિત ઘણા અન્ય ચર્ચિત મામલામાં ઐતિહાસિક નિર્ણય સંભળાવી ચૂક્યા છે. તેઓ પાકિસ્તાનની વિરુદ્ધ દેશના 1971ના મુક્તિ સંગ્રામ સાથે જોડાયેલ અપરાધિક મામલાની સુનાવણી માટે અપીલીય ન્યાયાધીશ પણ છે.

sinha
સિન્હા ઓક્ટોબર 1999માં હાઇ કોર્ટના ન્યાયાધીશ બન્યા હતા અને ત્યારબાદ જુલાઇ 2009માં તેઓ અપીલેટ ડિવીઝનમાં પ્રોન્નત કરી દેવામાં આવ્યા. પહેલી ફેબ્રુઆરી, 1951ના રોજ જન્મેલા સિન્હાએ પોતાના કરિયરની શરૂઆત 1974માં સિલ્હટમાં સ્થાનીય ન્યાયાલયમાં વકીલ તરીકે કરી હતી. સિન્હા તે અપીલેટ પીઠમાં સામેલ હતા, જેણે 13માં સંશોધન અપીલની સુનાવણી કરી હતી, અને રાષ્ટ્રીય ચૂંટણીની દેખરેખ માટે કાર્યવાહક સરકારના પ્રાવધાનને રદ્દ કરી દીધું હતું.

ન્યાયમૂર્તિ સિન્હા તે પીઠનો પણ ભાગ હતા, જેણે બંગબંધુ હત્યા મામલામાં અરજીની સુનાવણી કરી હતી. પ્રધાન ન્યાયાધીશના રૂપમાં સિન્હાનો કાર્યકાળ ત્રણ વર્ષોનો રહેશે અને તે 2018ના પ્રારંભમાં સેવાનિવૃત્ત થઇ જશે.

English summary
Surendra Kumar Sinha appointed next chief justice of Bangladesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X