For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'10 મિલિયન ભારતીયોની ઇચ્છા સ્વદેશ છોડી યુએસ જવાની'

|
Google Oneindia Gujarati News

us
વોશિંગ્ટન, 22 માર્ચઃ અંદાજે 10 મિલિયન ભારતીયોનું કહેવું છે કે તેઓ પોતાના દેશને છોડીને કાયમી યુએસ સ્થાયી થવા માંગે છે, વિશ્વભરમાં ફેલાયેલા સંભવિત માઇગ્રેન્ટ્સની આ નંબર વન આંકાશા હોવાનું નવા સર્વે થકી જાણવા મળ્યું છે.

2010 અને 2012ની વચ્ચે 154 દેશોમાં કરવામાં આવેલા ગલુપના સર્વે અનુસાર અંદાજે 630 મિલિયન લોકોએ પોતાની ઇચ્છા વ્યક્ત કરી છે, જેમાં તેમણે યુએસને પોતાનું નવું ઘર બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. સંભવિત માઇગ્રેન્ટ્સની ટોચની અન્ય પસંદોમાં બ્રિટેન, કેનેડા અને ફ્રાન્સ છે. બ્રિટન જવા ઇચ્છતા માઇગ્રેન્ટ્સની સંખ્યા 42 મિલિયન, કેનેડા માટે 37 મિલિયન અને ફ્રાન્સ જવા ઇચ્છનારાઓની સંખ્યા 10 મિલિયન છે.

154 દેશોમાંથી 98 ટકા દેશો એવા છે જેમાં વિશ્વની સૌથી યુવા વસ્તી છે. જેમાંથી ત્રણ ટકા લોકો યુએસને સ્થાયી ઘર બનાવવા ઇચ્છે છે.

ચીન(19 મિલિયન) અને નાઇઝીરીયા(13 મિલિયન) બાદ ભારત ત્રીજો સૌથી યુવા વસ્તી ધરાવતો દેશ છે કે, જ્યાંની પ્રજા યુએસને કાયમી વસવાટ તરીકે પસંદ કરે છે. જો કે, ઇરાન અને પાકિસ્તાન જેવા દેશોની મોટા ભાગની પ્રજા યુએસને કાયમી વસવાટ તરીકે પસંદ કરતા નથી. પાકિસ્તીનીઓ સાઉદી અરેબિયા અને બ્રિટનને પસંદ કરે છે જ્યારે ઇરાનીઓ જોર્ડન અને લેબનાન પર પસંદગી ઉતારી રહ્યાં છે.

English summary
Some 10 million Indians say they would like to leave their country and move to the US permanently.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X