બ્રેસ્ટ કેન્સરના ભયથી એન્જલિના જોલીએ કઢાવી નાખ્યાં બંને સ્તન
લોસ એન્જલસ, 14 મે : હોલીવુડ અભિનેત્રી એન્જલિના જોલીએ સ્તન કેન્સરથી બચવા માટે એક ઓપરેશન કરાવ્યું છે. આ માટે તેણે ડબલ માસટેકટોમી ઓપરેશનમાંથી પસાર થવું પડ્યું હતું. જેમાં સ્તન કેન્સર (બ્રેસ્ટ કેન્સર)થી બચવા માટે એક અથવા બંને સ્તનોને આંશિક અથવા પૂર્ણ રીતે દૂર કરવામાં આવે છે.
ન્યુયોર્ક ટાઇમ્સમાં પ્રકાશિત પોતાના લેખમાં 37 વર્ષીય એન્જલિના જોલીએ આ સર્જરી કરાવી હોવાની વાત કહી છે. આમ કરવા પાછળનું કારણ પણ તેણે લેખમાં જણાવ્યું છે. એન્જલિનાએ જણાવ્યું છે કે તેમના ડૉક્ટરનું કહેવું છે કે તેમને સ્તન કેન્સર થવાની શક્યતા 87 ટકા અને અંડાશયનું કેન્સર થવાની શક્યતા 50 ટકા જેટલી છે.
તેમણે જણાવ્યું કે માસટેકટોમીની પ્રક્રિયા ફેબ્રુઆરીમાં શરૂ થઇ હતી અને એપ્રિલના અંતમાં પૂરી થઇ હતી. 'માય મેડિકલ ચોઇસ' શીર્ષક હેઠળના લેખમાં એન્જલિનાએ જણાવ્યું કે તેમના માતા લગભગ એક દાયકા સુધી કેન્સર સામે લડતી રહી હતી. માત્ર 56 વર્ષની વયે કેન્સરની બીમારીથી તેમનું મૃત્યુ થયું હતું.

એન્જલિના જૉલી

એન્જલિના જૉલી

એન્જલિના જૉલી

એન્જલિના જૉલી

એન્જલિના જૉલી

એન્જલિના જૉલી

એન્જલિના જૉલી
એન્જલિનાના જણાવ્યા અનુસાર તેઓ ઇચ્છે છે કે આ બિમારી તેમના બાળકો પાસેથી તેમની માતા ન છીનવી લે. "પરંતુ આ હકીકત છે કે મારા શરીરમાં એક ખરાબ જીન બીઆરસીએ 1 છે જે સ્તન કેન્સર અથવા અંડાશયના કેન્સરના જોખમને ખૂબ વધારે દેતું હોય છે."
તેમણે કહ્યું કે એક વાર જ્યારે તેમને પોતાની સ્વાસ્થ્ય હકીકત અંગે જાણ થઇ ત્યારે તેમણે ડબલ માસટેકટોમીની નવ સપ્તાહ સુધી ચાલનારી પ્રક્રિયાથી પસાર થવાનો નિર્ણય લીધો. એન્જલિનાના જણાવ્યા અનુસાર ડબલ માસટેકટોમી કરાવ્યા બાજ તેમને કેન્સર થવાનું જોખમ ઘટીને માત્ર 5 ટકા રહી ગયું છે.
તેમણે પોતાની ડબલ માસટેકટોમી દરમિયાન પ્રેમ અને સમર્થન માટે પોતાના પાર્ટનર બ્રાડ પિટના વખાણ કર્યા છે. આ સાથે તેમણે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે કે ઓપરેશન બાદ તેમના બાળકોને કોઇ પ્રકારની અસહજતા મહેસૂસ નહીં થાય.
તેઓ જણાવે છે કે "હું સ્વયંને મજબૂત મહેસૂસ કરી રહી છું. મેં આ નિર્ણય કર્યો છે અને તેના કારણે મારા સ્ત્રીત્વમાં કોઇ પરિવર્તન આવ્યું નથી અને આવશે નહીં. જે પણ મહિલાઓ આ વાંચશે, મને આશા છે કે તેમને પણ ખ્યાલ આવશે કે આવી સ્થિતિમાં તેમની પાસે પણ વિકલ્પ છે."
તેમના જણાવ્યા અનુસાર "હું દરેક મહિલાને પ્રોત્સાહિત કરવા માંગું છું. ખાસ કરીને એવી મહિલાઓ માટે જેમના કુટુંબમાં સ્તન કેન્સર પારિવારિક બિમારી છે. હું ઇચ્છું છું કે તેઓ આ વિશે જાગૃત બને અને ડોક્ટરને મળીને યોગ્ય સારવાર કરાવે જે તેમના જીવનના અનેક તબક્કે તેમને મદદરૂપ બનશે. ત્યાર બાદ તેઓ પોતાની પસંદથી નિર્ણય લે. "
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત




Click it and Unblock the Notifications
