સમુદ્રમાંથી પસાર થશે તુર્કીની આ લોકલ ટ્રેન
ઇસ્તાંબુલ, 30 ઓક્ટોબરઃ ટ્રેન જ્યારે કોઇ ટનલમાં પ્રવેશ કરે છે, તો તેનો રોમાંચ અલગ જ હોય છે, એ ટનલ પછી નાની હોય કે, મોટી, પર્વતોને ચીરીને બનાવવામાં આવી હોય અથવા તો જમીનને, પરંતુ આ ટનલનો રોમાંચ તેના કરતા અનેકગણો વધારે હશે, કારણ કે, અહીં ટ્રેન સમુદ્રની અંદરથી પસાર થશે. આ રોમાંચક નજારો દરરોજ તુર્કીમાં જોવા મળશે, જ્યાં લોકલ ટ્રેન માટે સમુદ્રની અંદર ટનલ બનાવવામાં આવી છે.
તુર્કીએ
મંગળવારે
સમુદ્રની
અંદર
ચાલનારી
લોકલ
ટ્રેનની
શરૂઆત
કરી
છે.
આ
ટ્રેન
ઇસ્તાંબુલના
એશિયન
અને
યુરોપિય
વિસ્તારને
એકબીજા
સાથે
જોડશે.
મરમરે
નામથી
શરૂ
કરવામાં
આવેલી
આ
રેલપથ
બે
દ્વીપોને
એક
બીજા
સાથે
જોડવાનું
કામ
કરશે.
આ
પથ
પર
દોડનારી
ટ્રનમાં
દર
કલાકે
75
હજાર
યાત્રીઓને
લઇ
જવાની
ક્ષમતા
હશે
અને
દિવસભર
તે
10
લાખ
લોકોને
ગંતવ્ય
સુધી
પહોંચાડવાનું
કામ
કરશે.
ખાસ વાત એ છે કે, આ પરિયોજનાનો પ્રસ્તાવ આજથી લગભગ 150 વર્ષ પહેલા ઓટોમેન સુલ્તાન નામની વ્યક્તિ દ્વારા રાખવામાં આવ્યો હતો. સુલ્તાનના આ પ્રસ્તાવનો નક્શો બનાવીને તેમના વંશજ અબ્દુલ હમીદે પુનઃ રજુ કર્યો, પરંતુ સરકારે તેને અસંભવ કહીંને નકારી દીધો. 8 વર્ષ પહેલા તુર્કી સરકારે આ પ્રોજેક્ટને ફરીથી ઉઠાવ્યો અને તેના પર કામ શરૂ કરી દીધું. આજે મહેનત વિશ્વની સામે છે.
અધિકારીઓ અનુસાર આગળ જતા આ રેલવે રૂટનો ઉપયોગ પશ્ચિમી યુરોપથી ચીન સુધી પ્રસ્તાવિત રેલ માર્ગમાં પણ કરી શકાશે. આ ટનલનું નિર્માણ સમુદ્રને કાપીને બનાવવામાં આવી નથી, પરંતુ એક છેડેથી બીજા છેડા સુધી વિશાળ ટ્યૂબ નાંખવામાં આવી છે, જે ટૂકડાઓમાં જોડીને બનાવવામાં આવી છે. આ ટ્યૂબની અંદર જ ટ્રેન દોડશે. આ 55 મીટરની ઉંડાઇ પર છે. કહેવામાં આવે છે કે, વિશ્વની ત્રીજી સૌથી ઉંડી રેલવે ટનલ છે.
આ ટનલની ખાસ વાત એ છે કે, જો રિક્ટેયર પર 9ની તિવ્રતાવાળો ભૂકંપ આવે તો પણ તેને કોઇ ક્ષતિ નહીં થાય. ભુગર્ભશાસ્ત્રીઓ અનુસાર ભૂકંપની દ્રષ્ટિએ ઇસ્તાંબુલમાં આ સૌથી સુરક્ષિત સ્થળ છે. ખરા અર્થમાં આ ટ્યૂબ ફ્લેક્સિબલ જોઇન્ટ્સના માધ્યમથી જોડવામાં આવી છે. જેતી ભૂકંપના ઝટકાઓનો તેના પર કોઇ અસર નહીં થાય.
આ પહેલા જાપાનના દ્વીપો હોન્શૂ અને હોક્કાઇડોને કનેક્ટ કરનારી સમુદ્રની અંદરની સેઇકન ટનલ સૌથી ઉંડી ટનલ છે. તે સમુદ્ર તટથી 140 મીટર અને સમુદ્રની ધરતીથી 240 મીટરની ઉંડાઇ પર સ્થિત છે. આ ઉપરાંત બ્રિટેન અને ફ્રાન્સને કનેક્ટ કરનારી ચેનલ ટલન લિંકિંગ સમુદ્રની ધરતીથી 75 મીટર નીચે છે.