સચિન તેની છેલ્લી મેચ પણ પાકિસ્તાન સામે રમેઃ અકરમ
કરાચી, 13 સપ્ટેમ્બરઃ માસ્ટર-બ્લાસ્ટર સચિન તેંડુલકરની આંતરરાષ્ટ્રીય મેચમાં તેની સામે રમનારા વિશ્વના શ્રેષ્ઠતમ ઝડપી બોલરમાના એક પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટ ખેલાડી વસીમ અકરમે ગુરુવારે કહ્યુ કે તેંડુલકરે પોતાની અંતિમ મેચ પાકિસ્તાન વિરુદ્ધ રમવી જોઇએ.
અનેક
વિશ્વ
કીર્તિમાન
રચી
ચૂકેલા
તેંડુલકરે
વધું
એક
કીર્તિમાન
રચવા
તરફ
અગ્રેસર
છે.
તેંડુલકર
અત્યારસુધી
198
ટેસ્ટ
મેચ
રમી
ચૂક્યો
છે,
તથા
વેસ્ટ
ઇન્ડિઝ,
ભારતના
પ્રવાસ
પર
આવવા
માટે
રાજી
થયા
બાદ
તે
200
ટેસ્ટ
મેચ
રમનારો
વિશ્વનો
પહેલો
ક્રિકેટર
બનવા
જઇ
રહ્યો
છે.
આ
વચ્ચે
બધે
જ
એવી
અટકળો
લગાવવામાં
આવી
રહી
છે
કે
200
ટેસ્ટ
મેચ
સાથે
જ
તેંડુલકર
આંતરરાષ્ટ્રીય
કારકિર્દીમાંથી
નિવૃત્તિ
લઇ
શકે
છે.
તેંડુલકરે
આંતરરાષ્ટ્રીય
વનડે
ક્રિકેટમાંથી
પહેલાં
જ
નિવૃત્તિ
લઇ
લીધી
છે.
પાકિસ્તાનની સમાચાર ચેનલ જીયો ન્યૂઝે અકરમના હવાલાથી કહ્યું કે, તેંડુલકર માટે આ સૌથી સારી વિદાય મેચ હશે. તેંડુલકરને વિશ્વના સર્વકાલિક સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાં સામેલ કરવામાં આવે છે. તેમણે અત્યારસુધી 198 ટેસ્ટ મેચોમાં 51 સદીની મદદથી 15,837 રન તથા 463 આંતરરાષ્ટ્રીય વનડે મેચોમાં 49 સદીની મદદથી 18,426 રન બનાવ્યા છે.