For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાન સાથેના મુકાબલામાં ભારત સામે આવી શકે છે આ મુસીબત

By Desk
|
Google Oneindia Gujarati News

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ શરુ થતા પહેલા ટીમ ઇન્ડિયાને કેટલીક મુસીબતોનો સામનો કરવો પડી શકે છે. કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની અને આશિષ નેહરા પૂરી રીતે રમવા માટે ફીટ નથી.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના મહત્વમાં મુકાબલાને ધ્યાનમાં રાખીને કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની અને આશિષ નેહરાએ પ્રેક્ટીસ માં ભાગ લિધો જ નહી. આશિષ નેહરાને મેચ પહેલા આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. ટીમ ઇન્ડિયાના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીને પણ આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.

asia cup 2016

બાંગ્લાદેશ સાથેના મુકાબલામાં મહેન્દ્ર સિંહ ધોની કિપીંગ કરતી વખતે પીઠમાં બેકબેલ્ટ બાંધીને રમ્યો હતો. જેના કારણે તેને 48 કલાક આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.

મહેન્દ્ર સિંહ ધોનીને બદલે ટીમમાં પાર્થિવ પટેલને લેવામાં આવ્યો છે. પાર્થિવ પટેલે ટ્રેનીંગમાં ભાગ તો લિધો પરંતુ તેને બેટિંગ પ્રેક્ટીસ કરી નથી. આમ જોવા જઈએ તો પાર્થિવ પટેલનો રમવાનો વારો નહી આવે કારણકે મહેન્દ્ર સિંહ ધોની જલ્દીથી સાજા થઇ રહ્યા છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Big worry for team India ahead of India Pakistan Match in Asia Cup. Dhoni and nehra did not participate in practice session.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X