વર્લ્ડ કપ બાદ ટી20 કપ્તાની છોડશે વિરાટ કોહલી, શર્મા બની શકે નવા કેપ્ટન
vવર્લ્ડ કપ બાદ ટી20 કપ્તાની છોડશે વિરાટ કોહલી, શર્મા બની શકે નવા કેપ્ટન
ભારતીય ટીમના ધાકડ બેટ્સમેન અને કેપ્ટન વિરાટ કોહલીએ ચોંકાવનારો નિર્ણય લીધો છે. વિરાટ કોહલી ટી20 ટીમની કપ્તાની છોડી દેશે. વિરાટ કોહલી બાદ રોહિત શર્મા ટી20 ફોર્મેટના કેપ્ટન બની શકે છે.
Recommended Video


વિરાટ કોહલીએ પત્ર લખી પોતાના નિર્ણય અંગે જણાવ્યું છે. વિરાટ કોહલીએ પોતાના પત્રમાં લખ્યું કે, ભારતનું પ્રતિનિધિત્વ કરવા ઉપરાંત ભારતીય ટીમને લીડ કરી શક્યો તે બદલ ખુદને ભાગ્યશાળી માનું છું. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકેના મારા પ્રવાસમાં મને સમર્થન આપનાર તમામ લોકોનો હું આભારી છું. ટીમના ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ, સિલેક્શન કમિટી,, મારા કોચ અને દરેક ભારતીયનો હું આભારી છું, જેમના વિના હું આ કરી ના શક્યો હોત.
વધુમાં વિરાટ કોહલીએ લખ્યું કે, છેલ્લા 8-9 વર્ષથી ત્રણેય ફોર્મેટમાં હું કપ્તાની સંભાળી રહ્યો હતો જેને લઈ વર્કલોડ ખુબ વધી જતો હતો. મારે ભારતીય ટેસ્ટ ટીમ અને વનડે ક્રિકેટ ટીમને લીડ કરવા પર વધુ ભાર આપવો જોઈએ તેવું અનુભવી રહ્યો છું. ટી20 કેપ્ટન તરીકેના મારા સમય દરમિયાન મેં મારી ટીમને બધું જ આપ્યું અને હવેથી ટી20 ટીમના બેટ્સમેન તરીકે મારું કર્તવ્ય નિભાવતો રહીશ.
🇮🇳 ❤️ pic.twitter.com/Ds7okjhj9J
— Virat Kohli (@imVkohli) September 16, 2021
વિરાટ કોહલીએ આ નિર્ણય લેતા પહેલાં તેની નજીકના લોકો, રવિ શાસ્ત્રી, રોહિત શર્મા સહિતના લોકો સાથે ચર્ચા કરી હતી. સાથે જ કોહલીએ જમાવ્યું કે ઓક્ટોબર 2021માં દુબઈ ખાતે રમાનાર ટી20 વર્લ્ડ કપ બાદ તે ટી20 ટીમનું કેપ્ટન પદ છોડી દેશે. આ બાબતે કોહલીએ BCCIના સેક્રેટરી જય શાહ BCCIના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી અને સિલેક્ટર્સ સાથે પહેલેથી જ વાતચીત કરી છે.
ટી20 કેપ્ટન તરીકે કોહલીનો રેકોર્ડ
વિરાટ કોહલી ટી20 કેપ્ટન તરીકે કુલ 45 મેચ રમ્યા છે જેમાંથી 27 મેચમાં જીત હાંસલ કરી છે જ્યારે 14 મેચમાં હાર સાંપડી હતી. આમ કોહલીને જીતનો રેશિયો 65.11% રહ્યો. 32 વર્ષની ઉંમરે આટલી બધી સિદ્ધિઓ છતાં આવડો મોટો નિર્ણય લેવા માટે જબરી હિંમત જોઈએ. જણાવી દઈએ વનડે અને ટેસ્ટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી જ રહેશે. જો કે હવે કોહલી કપ્તાની છોડ્યા બાદ રોહિત શર્માને ટી20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. જો કે આ બાબતે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.
-
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી -
બરોડા ડેરીના સંચાલકોને રજીસ્ટ્રારે કારણદર્શક નોટિસ ફટકારી, જાણ કેમ? -
Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલે ‘કવાંટ ગેર મેળા’ની ટપાલ ટિકિટનું કર્યું અનાવરણ -
અમેરિકાએ ભારતને આપી ભેટ! આટલા દિવસો સુધી રશિયા પાસેથી ખરીદી શકશે તેલ, Hormuzનું ટેન્શન ખતમ







Click it and Unblock the Notifications
